અમદાવાદમાં ફેલાયેલા પાણીજન્ય રોગને નિયંત્રણમાં લેવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવતાં મેકડોનાલ્ડ્સ સહિત પાંચ રેસ્ટોરાં સીલ કરી દેવામાં આવ્યા છે. આ માટે મનપાએ તેમને ત્રણ વખત નોટિસ આપી હતી.
અમદાવાદમાં મચ્છરજન્ય રોગોને લીધે મલેરિયાના ઝેર- મલેરિયા, ઉલટી, ટાઇફોઇડ અને અન્ય વાઇરલ તાવને કારણે AMC આરોગ્ય વિભાગ સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. આ અંતર્ગત રેસ્ટોરાં સહિત વિવિધ સ્થળોએ નિરીક્ષણ શરૂ કરાયું છે.
આ નિરીક્ષણ અભિયાનના ભાગરૂપે, મનપાએ મચ્છરની ઉત્પત્તિને કારણે શહેરના ચાંદખેડા વિસ્તારમાં પાંચ રેસ્ટોરાં સીલ કરી દીધા છે. ભૂતકાળમાં ત્રણ વખત મેકડોનાલ્ડ, ઓનેસ્ટ, ડોસાપ્લાજા, ડિલાઇટ અને ડાયના રેસ્ટોરેન્ટને અગાઉ પણ ત્રણ વખત નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. ચોથી વખત પણ એક જ ભૂલ સામે આવતા આ રેસ્ટોરેંટને સીલ કરવામાં આવી છે.
ચાંદખેડા સ્થિત આ પાંચ રેસ્ટોરેંટમાં બેસમેંટ પાર્કિંગની વ્યવસ્થા હોવા છ્તાય મેનેજર તેનો વિવિધ વ્યવસાયિક ઉપયોગ કરી રહ્યા હતા. મેકડોનાલ્ડ્સએ આ સ્થાન પર તેની RO સિસ્ટમ સ્થાપિત કરી હતી. છેલ્લા ચાર માહિનામાં ત્રણ વાર આ રેસ્ટોરેંટ ને નોટિસ મોકલવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.