અમદાવાદ,
અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં આવેલા આસારામના આશ્રમમાંથી ગુમ થયેલાં બે બાળકોના અપમૃત્યુ મામલે નિમાયેલ તપાસ પંચનો રિપોર્ટ વિધાનસભામાં રજુ થયો હતો.આસારામ આશ્રમમાંથી દિપેશ અને અભિષેક નામના બે બાળકો ગુમ થયા હતા અને પછી તેમના મૃતદેહો સાબરમતી નદીના કિનારેથી મળી આવ્યા હતા.દિપેશ અને અભિષેકના મોત પછી ભારે હોબાળો થતાં સરકારે નિવૃત જજ ડી કે ત્રિવેદીની આગેવાનીમાં તપાસ પંચ નીમ્યું હતું.
આસારામ આશ્રમ મોટેરા ખાતે ગુરુકુળમાં રહીને અભ્યાસ કરતા દિપેશ અને અભિષેકના 3 જૂલાઈ 2008ના રોજ મૃત્યુ થયા હતા. જેને પગલે નિવૃત્ત જસ્ટિસ ડી.કે.ત્રિવેદીના અધ્યક્ષપદે તપાસ પંચની રચના કરવામાં આવી હતી. ડી.કે.ત્રિવેદી પંચે વર્ષ 2013માં જ રિપોર્ટ સરકારને સોંપી દીધો હતો. પરંતુ રાજ્ય સરકારે 6 વર્ષ અને વિધાનસભાના લગભગ 12 સત્ર બાદ રિપોર્ટ ગૃહમાં મુક્યો છે.
ડી કે ત્રિવેદી તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં રજુ થયો હતો.મળતી માહિતી પ્રમાણે આ રિપોર્ટમાં દિપેશ અભિષેકના મોત માટે આસારામ આશ્રમના સંચાલકોની બેદરકારીને જવાબદાર ઠેરવી હતી.
આસારામ આશ્રમમાં દીપેશ અને અભિષેક અપમૃત્યુ કેસમાં ડી.કે. ત્રિવેદી તપાસ રિપોર્ટના મહત્વના મુદ્દાઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં દીપેશ અને અભિષેકના ગુમ થવા પાછળ આશ્રમના મેનેજમેન્ટની બેદરકારી સામે આવી છે. આશ્રમની નિષ્કાળજીનો તપાસ પંચે સ્વીકાર કર્યો છે.
આ રિપોર્ટમાં પોલિસ તપાસમાં કોઇ ક્ષતિ નહોતી એવું સામે આવ્યું છે. આ બનાવની તપાસ સી.આઈ.ડી. (ક્રાઈમ)ને સુપ્રત કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
