અમદાવાદ,
ઓઢવ વિસ્તારમાં આવેલ સરકારી વસાહત ધરાશાયી થઇ હતી જેને લઈને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આશ્વાસન રૂપે સ્થાનિકોને રિડેવલોપમેન્ટ અને વૈકલ્પિક સુવિધા માટેના દાવાઓ કરવામાં આવ્યા હતા.
પરંતુ આ દાવાઓ માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યા છે. જેના વિરોધમાં સ્થાનિકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું… ધરાશાયી અને પાડી નાખવામાં આવેલ ઘરોને કારણે અનેક લોકો બેઘર થયા હતા.
ત્યારે આ સ્થાનિકો દ્વારા અનેક જગ્યાઓ પર આવેદન અને રજૂઆતો બાદ પણ કોઈ નિર્ણય ના આવતા થાકી હારી આખરે કોર્પોરેશન પર પોતાનો રોષ આવેદન પત્ર આપી ઠાલવ્યો હતો.