Bollywood/ કોરોનાની અસર ન હોત તો મેં અને આલિયાએ લગ્ન કરી લીધા હોત : રણબીર કપૂર

બોલિવૂડની મોસ્ટ ફેવરીટ જોડી રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થઈ રહી છે અને ચાહકો પણ આતુરતાથી આ લગ્નની રાહ જોઈ રહ્યાં છે. પહેલાં માનવામાં આવતું કે

Top Stories Entertainment
said

બોલિવૂડની મોસ્ટ ફેવરીટ જોડી રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થઈ રહી છે અને ચાહકો પણ આતુરતાથી આ લગ્નની રાહ જોઈ રહ્યાં છે. પહેલાં માનવામાં આવતું કે બંને 2020માં લગ્ન કરી લેશે. જોકે, કોરોના તથા રિશી કપૂરના નિધનને કારણે આ લગ્ન થઈ શક્યા નહીં. હાલમાં જ રણબીર કપૂરે પહેલી જ વાર પોતાના લગ્ન અંગે વાત કરી હતી.રણબીર કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો કોરોના ના આવ્યો હોત તો તેમણે લગ્ન કરી લીધા હોત. હવે તે ટૂંક સમયમાં જ લગ્ન કરી લેશે.રણબીરે આલિયાના પેટ ભરીને વખાણ કર્યાં હતાં અને લૉકડાઉનમાં બંનેએ સાથે રહીને શું કર્યું તે પણ વાત કરી હતી.

Ranbir Kapoor and Alia Bhatt to tie the knot next year?

India / શું કુતુબમિનારમાં બનશે ફરીથી 27 જૈન મંદિરો, સાકેત કોર્ટમાં આ…

રણબીરે કહ્યું હતું કે તેની પ્રેમિકા આલિયા ઓવરઅચિવર છે. તેણે ઘણાં બધા ઓનલાઈન કોર્સ કર્યાં હતાં, જેમાં ગિટારથી લઈ સ્ક્રિનરાઈટિંગ સામેલ છે. રણબીરે એમ પણ જણાવ્યું હતું કે તે હંમેશાંથી અન્ડરઅચિવર રહ્યો છે. તેણે લૉકડાઉન દરમિયાન કોઈ ક્લાસ કર્યાં નહોતા. શરૂઆતમાં પારિવારિક સમસ્યા હતી અને પછી તેણે વાંચવામાં તથા પરિવાર સાથે સમય પસાર કર્યો. તે રોજની બેથી ત્રણ ફિલ્મ જોતો હતો. ઉલ્લેખનીય છે કે 30 એપ્રિલના રોજ રિશી કપૂરનું નિધન થયું હતું. રણબીર તથા આલિયા લીવ ઈનમાં રહે છે.

Ranbir Kapoor Alia Bhatt Wedding Card: No, Alia Bhatt & Ranbir Kapoor aren't getting married. Fake wedding card goes viral, & fans can't keep calm - The Economic Times

India / આબુમાં સતત દસમા દિવસે હિમવર્ષા, દેશભરમાં કોલ્ડવેવની શક્યતા…

આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા, નાગાર્જુન, મૌની રોય છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન પણ જોવા મળશે. આ ફિલ્મ છેલ્લાં બે વર્ષથી બને છે પરંતુ હજી સુધી ફિલ્મ પૂરી થઈ શકી નથી.રણબીરના સંબંધો દીપિકા-કેટરીના સાથે હતા.આલિયા ભટ્ટને ડેટ કરતાં પહેલાં રણબીર દીપિકા તથા કેટરીના સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યો છે. તો આલિયાના સંબંધો પહેલાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે હતા.Alia Bhatt wishes 'nazar na lage' to her relationship with Ranbir Kapoor: 'He's not difficult. He's a gem' - bollywood - Hindustan Times

Covid-19 / 8 લોકોના મોત સાથે નોધાયા 990 નવા કેસ, જાણો રાજ્યમાં કુલ કેસન…

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણબીર કપૂર બાન્દ્રાના વાસ્તુ પાલી હિલ કોમ્પ્લેક્સમાં સાતમા માળે રહે છે. આલિયાએ આ જ બિલ્ડિંગમાં પાંચમા માળે ફ્લેટ ખરીદ્યો છે. આલિયાનો ફ્લેટ 2460 સ્કેવર ફૂટનો છે અને આ ફ્લેટની કિંમત અંદાજે 32 કરોડ રૂપિયા છે. આ બિલ્ડિંગ ક્રિષ્ના રાજ બંગલોની એકદમ નજીકમાં છે. આલિયાના નવા ફ્લેટનું ઈન્ટિરિયર ડિઝાઈનિંગ ગૌરી ખાન જ કરશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં રણબીરના ઘરનું ઈન્ટિરિયર પણ ગૌરી ખાને જ કર્યું હતું. ધનતેરસના દિવસે ભટ્ટ પરિવારે આ ઘરમાં નાનકડો હવન કર્યો હતો. આ હવનમાં રણબીર, અયાન મુખર્જી, કરન જોહર તથા પરિવારના સભ્યો સામેલ રહ્યાં હતાં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…