Banaskantha News: બનાસકાંઠાના દાતામાં આવેલ પ્રખ્યાત અંબાજી મંદિરમાં આજથી માનવ મહેરામણ ઉમટશે. અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મેળોનો આરંભ થયો. વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભારે ભીડ જોવા મળી. મંદિર બોલ મારી અંબેના નાદથી ગુંજ્યું. રાજ્યમાં અનેક સ્થાનો પરથી માઈભક્તો જગત જનની માં અંબાના દર્શનનો લાભ લેશે.

રાજ્યમાં અનેક માર્ગો પર ભક્ત મંડળો ધજા સાથે માં અંબાના રથ રસ્તાઓ ઉપર નાચતે ગાતે મંદિર પંહોચશે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લોકો પગપાળા જતા હોય છે તેમજ અનેક સંઘ પણ આ દિવસોમાં પગપાળા ચાલી અંબાજીમાં માતાના દર્શન કરવાની કામના રાખે છે.
રાજ્યમાં દરવર્ષે અંબાજીમાં ભાદરવી પૂનમે મેળાનું આયોજન થાય છે. આ મેળામાં મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને દર્શનનો લાભ લેતા હોય છે. આજે 12 સપ્ટેમ્બરથી શરૂ થતો ભાદરવી પૂનમનો મેળો 18 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થશે. આ મેળામાં અંદાજે 30 લાખ જેટલા યાત્રાળુઓ ભાગ લે તેવી સંભાવના છે. યાત્રાળુઓની સુવિધાને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સુરતમાં ગણેશ પંડાલ પર બનેલ બનાવ બાદ પોલીસ વધુ સર્તક બનતા અંબાજીના મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરાયો છે. 5 હજાર કરતા વધુ પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત કરવા સાથે નાનામાં નાની બાબતનું પણ ધ્યાન રહે માટે 350થી વધુ કેમેરાથી સમગ્ર મહામેળાનું મૉનિટરિંગ કરાશે. આ ઉપરાંત આ મેળામાં યાત્રાળુઓ માટે દર્શન, પાર્કિંગ અને પ્રસાદને લઈને વિશેષ સુવિધા આપવામાં આવશે.
![]()
અંબાજીમાં 26 સમિતિઓ ઉપરાંત દર્શન ભોજન અને પાર્કિંગની વિશેષ સુવિધાઓ ઉભી કરાઇ છે. ભક્તો માટે 3.25 લાખ કિલો મોહનથાળ પ્રસાદ બનાવવાનું પણ આયોજન છે. બપોરે એક કલાક અને સાંજે બે કલાક સિવાય સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે.
યાત્રાળુઓ જાણો મંદિરના આરતીનો સમય
સવારે : ૦૬.૦૦ થી ૦૬.૩૦
સવારે : ૦૬.૦૦ થી ૧૧.૩૦
દર્શન બંધ : ૧૧.૩૦ થી ૧૨.૩૦
દર્શન બપોરે : ૧૨.૩૦ થી ૧૭.૦૦
દર્શન બંધ : ૧૭.૦૦ થી ૧૯.૦૦
સાંજે : ૧૯.૦૦ થી ૧૯.૩૦
સાંજે : ૧૯.૦૦ થી ૨૪.૦૦
દર્શન બંધ : ૨૪.૦૦ થી ૦૬.૦૦
તીર્થયાત્રા સુવિધા માર્ગદર્શિકા
ભાદરવી પૂનમના મેળા અંગે ‘તીર્થયાત્રા સુવિધા માર્ગદર્શિકા’ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે, જેમાં મેળાનું સમગ્ર સ્થળ, બસોની રૂટ મુજબની વ્યવસ્થા, દાન માટેની ઓનલાઈન સુવિધા, રાહદારીઓ માટેના સૂચનો, દર્શનની વ્યવસ્થા, આરોગ્ય સંબંધિત સેવાઓ, સલામતીની માહિતી, શૌચાલય, શૌચાલય, ફૂટવેર સેન્ટર તેમજ સમગ્રની વર્ચ્યુઅલ રિયાલિટીનો સમાવેશ થાય છે. વિઝ્યુઅલ સહિતની તમામ વિગતો દર્શાવવામાં આવી છે. જેના થકી યાત્રિકો મેળાની વ્યવસ્થા કોઈપણ પરેશાની વિના માણી શકશે.
આ પણ વાંચો: અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, જાનહાનિ ટળી
આ પણ વાંચો: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ પૂરજોશમાં
આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમે આવતાં યાત્રાળુઓ મળશે વીમાકવચ
