અમરેલી,
એક બાજુ રાજ્યમાં ઓછા વરસાદના કારણે અનેક જગ્યાએ પાણીની વિકટ સમસ્યાઓ ઉભી થઈ રહી છે ત્યારે અમરેલીના ચલાળા-ગોપાલગ્રામ વચ્ચે નર્મદાની લાઈનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પાણી આસપાસના ખેતરોમાં પણ પાણી ઘુસી ગયું હતું જેના કારણે પાકને પણ નુકશાન થઈ રહ્યું છે.
આ સિવાય અમરેલીમાં અનેક જગ્યાઓ પર પાણીના વેડફાટ થયાનું સામે આવ્યું છે. તોપણ તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેસી હોય તેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું નથી.