અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે, ન્યૂ યોર્કમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જેટલું મોટું બેનુ નામનું એસ્ટરોઇડ પૃથ્વી પર ટકરાઈ શકે છે. જ્યા સમગ્ર વિશ્વને કોરોના મહામારીએ ઝકડી રાખ્યુ છે, ત્યારે હવે આ આસમાની મુસિબતનાં સમાચાર સામે આવ્યા બાદ સામાન્ય જનતામાં ફફડાટ ફેલાય તો નવાઇ નહી.
આ પણ વાંચો – ઇન્વેસ્ટર સમીટ / આવતીકાલે ગડકરી ગુજરાતમાં : ગાંધીનગરમાંમાં PMમોદી વર્ચ્યુલ હાજરી આપીને કરશે નવી સ્ક્રેપપોલિસી જાહેર
આપને જણાવી દઇએ કે આ વિશે, નાસાએ હવે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે અને તે ક્યારે થવાની સંભાવના છે તે જણાવ્યું છે. બેનુ પૃથ્વી પર ટકરાવાની શક્યતા અંગે, હવે જાણવા મળ્યું છે કે વર્ષ 2300 સુધીમાં તેની સંભાવના 1,750 માંથી એક છે. ન્યૂયોર્ક ટાઇમ્સનાં અહેવાલ મુજબ, વૈજ્ઞાનિક ડેવિડ ફાર્નોચિયા, જેમણે 17 અન્ય વૈજ્ઞાનિકો સાથે મળીને પૃથ્વીની નજીકનાં એસ્ટરોઇડ (101955) બેનુનાં ખતરાનાં મૂલ્યાંકન પર અભ્યાસ લખ્યો હતો, ન્યૂયોર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે, તેની અસરની સંભાવના હજુ ઓછી છે. તેમણે કહ્યું કે, હું પહેલા કરતા બેનુની વધુ ચિંતા કરતો નથી. પ્રભાવની સંભાવના ખરેખર ખૂબ ઓછી છે. OSIRIS-REx ની મદદથી બેનુ પર તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોનાં અનુમાન મુજબ, આ એસ્ટરોઇડ્સ 2135 સુધીમાં પૃથ્વીના 125,000 માઇલની અંદર આવશે, જે પૃથ્વીથી ચંદ્રનું લગભગ અડધું અંતર છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અહીં ચોક્કસ અંતર મહત્વનું છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે 24 સપ્ટેમ્બર, 2182 નો દિવસ ખતરનાક સાબિત થઈ શકે છે. જો કે, બેન્નૂ પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના માત્ર 0.037 ટકા છે. તેમણે ખાતરી પણ આપી છે કે તે વિલુપ્ત થવા જેવી ઘટના નહીં હોય, પરંતું વિનાશ મોટા પ્રમાણમાં થઇ શકે છે. નાસામાં ગ્રહ સંરક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા લિન્ડલી જોહ્ન્સનનું કહેવું છે કે ક્રેટરનો આકાર વસ્તુનાં આકારનાં 10 થી 20 ગણો હશે.
આ પણ વાંચો – તાલિબાનની બર્બરતા / તાલિબાનીઓ જબરદસ્તી છોકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે, ઘણી છોકરીઓ ઘર છોડીને સલામત સ્થળે ભાગી રહી છે
આ એસ્ટેરોઇડનો ધરતી પર ટક્કરનો નિર્ણાયક દિવસ 24 સપ્ટેમ્બર, 2182 હોઇ શકે છે, જો કે, વૈજ્ઞાનિકોએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, બેનુ પૃથ્વી પર ટકરાવાની માત્ર 0.037% સંભાવના છે. વૈજ્ઞાનિકોએ પણ આશ્વાસન આપ્યું છે કે જો કે આ ઘટના લુપ્ત થવા તરફ દોરી જશે નહીં, પરંતુ તેનાથી થનારી તબાહી વિશાળ હોઈ શકે છે. નાસામાં ગ્રહોનાં સંરક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા લિન્ડલી જોહ્ન્સનને કહ્યું હતું કે, “ધરતી પર, અડધા કિલોમીટર કદનાં પદાર્થમાં ઓછામાં ઓછો પાંચ કિલોમીટર વ્યાસનો એક મોટો ખાડો કરવા જઇ રહી છે, અને તેનો વ્યાસ 10 કિલોમીટર સુધી હોઇ શકે છે. પરંતુ વિનાશનો વિસ્તાર તેના કરતા ઘણો વિશાળ બનશે, જે ખાડોનાં કદ કરતાં 100 ગણો વધારે છે.