સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે.વધતા કેસ ને લીધે લાખો લોકો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. જેમાં 15000 થી વધુ બેંક કર્મીઓ કોરોના સંક્રમિત થતા રિઝર્વ બેન્ક દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે .
વધતા જતા સંક્રમણને લઈને બેંક નો સમય સવારે ૧૦ થી બપોરે ૨ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે .જેથી આ સમય દરમિયાન જ બેંક નું કામકાજ કરી શકશો.આ ઉપરાંતસંક્રમણને લઈને બેન્કોમાં ૫૦ ટકા જ સ્ટાફ બોલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણથી અત્યાર સુધી ૩૦ બેંકકર્મીઓ મૃત્યુ પામ્યા છે.૧૫,૦૦૦ થી વધુ બેંક કર્મીઓ કોરોના સંક્રમિત થતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
.