આનંદો/ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, તલાટી-કમ-મંત્રીઓનું ભથ્થુ રૂપિયા 900થી વધારીને કરાયું 3000

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે

Top Stories Gujarat
1 71 રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, તલાટી-કમ-મંત્રીઓનું ભથ્થુ રૂપિયા 900થી વધારીને કરાયું 3000

તલાટી-કમ મંત્રીઓને અપાતા ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે થી તેમને અપાતા માસિક ખાસ ભથ્થુ 900 રૂપિયાથી વધીને રૂ.૩૦૦૦નું કરવામાં આવ્યું છે.

વધુમાં મેરજાએ ઉમેર્યું કે, કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને રાજય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગ્રામ કક્ષાએ વિવિધ વિકાસ યોજનાઓનું અમલીકરણ કર્યું છે. અધિકારી તરીકે કામગીરી સંભાળતા તલાટી-કમ-મંત્રીઓના કામમાં વર્ષ ૨૦૧૨ પછી ગ્રામ કક્ષાએ રાજય સરકારની વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકેની કામગીરીમાં વધારો થયો હોવાથી આ મહત્વનો નિર્ણય કરાયો છે.

તેમણે ઉમેર્યું કે,ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત પરત્વે હકારાત્મક અભિગમ દાખવીને તલાટી-કમ-મંત્રીઓને હાલમાં આપતા માસિક ખાસ ભથ્થું રૂ.૯૦૦ ના બદલે રૂ.૩૦૦૦ નું ખાસ ભથ્થું અપાશે.

જો કે એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ખાસ ભથ્થાની ગણતરી પેન્શનના હેતુ માટે કરવામાં આવશે નહિ. આ નિર્ણયનો અમલ તા.૧૩-૯- ૨૦૨૨ થી એટલે કે આજથીજ કરવામાં આવશે. રાજ્ય સ૨કા૨ના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફરજ બજાવતા તમામ તલાટી-કમ-મંત્રીઓને આ નિર્ણય લાગુ પડશે.