દેશમાં મહિલા વિરુધનાં ગુનાનું પ્રમાણ ચરમસીમાએ જોવામાં આવી રહ્યું છે. દેશના અનેક રાજ્યોએ બળાત્કાર જેવા જધન્ય અપરાધો માટે ખાસ કાયદો પણ ઘડવાનુ એલાન કરી દીધુ છે અને ઘણા રાજ્યોમાં તો અમલાવરી પણ શરુ કરી દેવામાં આવી છે. પરંતુ કહાવત છે ને કે ઘણી વખતે સુકા સાથે લીલી પણ બળી જાય છે. અને ભારતનાં કાયદાઓ પ્રમાણે કોઇ બે ગુનાહને સજા ન જ થવી જોઇએ, ભલે આ માટે કોઇ ગુનેગાર છટકી જાય. આવી કાયદાકીય રીત રસમનો ઘણી વખતે ગુનેગારો ફાયદો પણ લઇ લેતા હોય છે. પરંતુ તે આખો અલગ આયામ છે. અહી વાત કરવામાં આવી રહી છે બળાત્કાર સબંધી કેસના ચુકાદાની તો…
બળાત્કાર કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે પોતાના એક નિર્ણયમાં કહ્યું છે કે, લગ્નના વચન આપી શારીરિક સંબંધ રાખવો તે તમામ કિસ્સામાં બળાત્કાર નથી હોતો. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, પરસ્પર સંમતિથી લાંબા ગાળાના જાતીય સંભોગને બળાત્કારની કેટેગરી હેઠળ રાખી શકાતો નથી. અને લાંબા ગાળાના શારીરિક સંબંધના આધારે બળાત્કારનો કેસ દાખલ કરી શકાતો નથી. અને પછીથી લગ્નનાં વચનમાંથી ફરી જવાનાં નેજા નીચે કેસ કરી શકાતો નથી. હાઈકોર્ટે આ પ્રકારની ટીપ્પણી કરતા ઉપરોક્ત સમાન પ્રકારના કથિત બળાત્કારના કેસમાં આરોપીઓને નિર્દોષ જાહેર કરવાનાં નીચલી અદાલતના નિર્ણયને સમર્થન આપ્યું છે.
જસ્ટિસ વિભુ બખરૂએ નીચલી અદાલતનાં ચુકાદાને પડકારતી અપીલ ફગાવી દીધી હતી. તેણે કહ્યું કે, મહિલા અને આરોપી બંનેએ ઘણા લાંબા સમયથી એકબીજા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, મહિલાએ નીચલી અદાલતના નિર્ણય સામે અપીલ દાખલ કરવામાં પણ 640 દિવસનો વિલંબ કર્યો છે.
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, જાતીય સંબંધ બાંધવા અને પીડિતાને આ પ્રકારના ટ્રેવેસ્ટીમાં ફસાવી દેવા માટે લગ્નનું વચન આપવાની લાલચ આપવી સમજી શકાય તેમ છે, પરંતુ શારીરિક સંબંધના લાંબા અને અનિશ્ચિત સમયગાળા દરમિયાન લગ્નનું વચનની સુરક્ષા આપી શકાતી નથી. આ સાથે હાઇકોર્ટે કહ્યું છે કે, મહિલાની ફરિયાદ તેમજ તેની જુબાની સ્પષ્ટ બતાવે છે કે, આરોપી સાથે તેના સંબંધ સંમતિથી થયા હતા.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે, મહિલાની ફરિયાદ મુજબ તેણે 2008 માં આરોપી સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો અને ત્રણ-ચાર મહિના પછી તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. આ પછી, તે છોકરા સાથે રહેવા લાગી. કોર્ટે કહ્યું કે, મહિલાએ ફરિયાદમાં આક્ષેપ પણ કર્યો હતો કે તેણી બે વાર ગર્ભવતી થઈ છે. પરંતુ આરોપીની બાળક મામલે ઇચ્છાના અભાવને લીધે, તે દવાઓ લઈ આવી જેણે તેને કસુવાવડમાં મદદ કરી. હાઈકોર્ટે કહ્યું છે કે મહિલાને યાદ પણ નથી કે તે ક્યારે ગર્ભવતી થઈ અને ક્યારે તેનું ગર્ભપાત થયું. ઉપરાંત, પુરાવાના અભાવ અને અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને, હાઇકોર્ટે નીચલી અદાલતના નિર્ણય સામે મહિલાની અપીલ નામંજૂર કરી હતી. 24 માર્ચ, 2018 ના રોજ ટ્રાયલ કોર્ટે પુરાવાના અભાવને લીધે દુષ્કર્મના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…