અકસ્માત…અકસ્માત…અકસ્માત, જાણે રાજ્યમાં અકસ્માતનો સેલ લાગ્યો હોય તેમ રોજ બે-ચાર ગમખ્વાર અકસ્માતની ઘટના બનવી તે હવે સામાન્ય વાત છે અને અકસ્માતમાં મોતનો અંંક પણ આવો જ જોવામાં આવી રહ્યો છે. સવારે સુરેન્દ્રનગરમાં ત્રીપલ અકસ્માતની ઘટના સામે આવી હતી, જોકે, સદભાગ્યો કોઇ જાનહાની નહોતી, તો સમી સાજે આણંદના સોજીત્રાનાં મઘરોલ ગામ પાસે ગંભીર અકસ્માતની ઘટના ઘટી ચૂકી છે.
આણંદના સોજીત્રાનાં મઘરોલ ગામ પાસે, મઘરોલ – માલાવાડા રોડ પર આઇસર અને બાઈક સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. સોજીત્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગળની તપાસ હાથ ઘરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.