ફરી એક વાર, અહિંસક-સમાજ સેવી અન્ના હજારેએ આમરણ અનશનની ચેતવણી આપી છે, અન્નાએ કહ્યું છે કે જો સરકાર નિર્ભયાનાં દોષીઓને ફાંસી દેવાની તારીખ એક અઠવાડિયામાં નક્કી નહીં કરે તો તેઓ આમરણ અનશન પર બેસશે, અન્ના હજારે સાત દિવસ બાદ 2 દિવસ મૌન અનશન કરશે, અને ત્યારબાદ આમરણ અનશન શરૂ કરશે.
અન્નાએ મીડિયા સામે વાત કરતાં કહ્યું કે, 14 ઓગસ્ટ, 2005 થી દેશમાં ગુનેગારોને ફાંસી આપવામાં આવી નથી, જોકે મહિલાઓ વિરુદ્ધનાં ગુનાઓ સતત વધી રહ્યા છે, આ ગંભીર મુદ્દે તેમણે પીએમ મોદીને પત્ર મોકલ્યો છે. જેમાં તેમણે લખ્યુ છે કે દેશમાં 2005 થી આવા કોઈ દોષીને ફાંસીની સજા આપવામાં આવી નથી, હાલમાં 426 દોષિતો ફાંસીની સજાની રાહ જોઈ રહ્યા છે
અન્નાએ કહ્યું કે જેના કારણે લોકોને લાગવા માંડ્યું છે કે ન્યાય મળવામાં લાંબો સમય લાગે છે અને તેથી જ આજે દેશની મોટી સંખ્યામાં લોકોએ હૈદરાબાદ એન્કાઉન્ટરને સમર્થન આપ્યું છે, તે ફરીથી ન થાય અને ન્યાય મેળવવામાં સમય ન લાગે આ માટે, જેણે દુષ્કર્મ કર્યા છે તેમને શિક્ષા આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો લોકો હજી પણ ઈચ્છે છે કે ‘એન્કાઉન્ટર’ માં દોષિતોને ખતમ કરવામાં આવે, જણાવી દઇએ કે નિર્ભયાનાં આરોપીને સાત વર્ષ બાદ પણ સજા આપવામા આવી નથી તેના પરિવારે પણ આ અંગે સવાલો શરૂ કરી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.