Not Set/ ન્યુઝીલેન્ડ સામે T-20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત,રોહિત શર્મા કેપ્ટન

રોહિત શર્માને ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝથી ભારતીય T20 ટીમની કમાન સોંપવામાં આવી  છે. સુકાની વિરાટને આરામ આપવામાં આવ્યો છે

Top Stories Sports
ROHIT SHARMA ન્યુઝીલેન્ડ સામે T-20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત,રોહિત શર્મા કેપ્ટન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ન્યુઝીલેન્ડ સામેની T20 અને ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી  છે. ભારતીય ટીમે 17 નવેમ્બરથી ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સાથે ત્રણ વન ડે  મેચ અને  T20 અને બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે.રોહિત શર્માને ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝથી ભારતીય T20 ટીમની કમાન સોંપવામાં આવી  છે. સુકાની વિરાટ  આરામ આપવામાં આવ્યો છે વિરાટે પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે તે ICC T20 વર્લ્ડ કપ 2021 પછી ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ છોડી દેશે અને આ ટુર્નામેન્ટમાં ભારતનું અભિયાન સમાપ્ત થયા બાદ સોમવારે T20 કેપ્ટન તરીકે મેદાન પર છેલ્લે જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભારતની ટીમની જાહેરાત આજે BCCIએ કરી દીધી છે ,ન્યુઝીલેન્ડ સામે ટી-20 માટે રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), આર ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, આર પંત (ડબલ્યુસી), ઈશાન કિશન (ડબ્લ્યુસી), વેંકટેશ ઐયર, વાય ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર , ડી ચહર , હર્ષલ પટેલ , મોહમ્મદ સિરાજ.