Banaskantha News:બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ભારે વરસાદના કારણે આંબાઘાટ-દાંતા રોડ પર ફરી એકવાર ભેખડો ધસી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે અંબાજી જતા મુખ્ય માર્ગ પર મોટા પથ્થરો અને કાટમાળ ખરી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાથી રસ્તા પર અકસ્માતનો ભય પણ ફેલાયો છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને પ્રવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ભારે વરસાદથી ભેખડો ધસી પડી
ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ ભારે વરસાદે અનેક વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો છે. દાંતા તાલુકામાં આવેલા આંબાઘાટ વિસ્તારમાં સતત વરસાદને કારણે પ ભેખડો ધસી પડ્યા હતા, જેના કારણે રસ્તા પર મોટા પથ્થરો અને માટીનો ઢગલો ખરી પડ્યો. આ ઘટનાને પગલે આંબાજી જતા યાત્રાળુઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે મહત્વનો રહેતો આ માર્ગ અસ્થાયી રૂપે ખોરવાઈ ગયો છે.
આંબાઘાટ-દાંતા રોડ પર પથ્થરો અને કાટમાળ ખરી પડતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ માર્ગ અંબાજી દર્શન માટે જતા યાત્રાળુઓ માટે અત્યંત મહત્વનો છે, અને ખાસ કરીને ચોમાસામાં યાત્રાળુઓની સંખ્યામાં વધારો થતો હોય છે. રસ્તા પર પથ્થરો પડી રહ્યા હોવાથી વાહનોની અવરજવરમાં અવરોધ ઉભો થયો છે, અને અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, રસ્તો સાંકડો હોવાથી અને ભેખડો ધસી પડવાની ઘટનાઓ વારંવાર બનતી હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
આ પણ વાંચો:બનાસકાંઠાના પાલનપુરમાં લવ જેહાદનો મામલો
આ પણ વાંચો:બનાસકાંઠાના પાંથવાડા પંથકમાં ગોઝારા અકસ્માતમાં યુવકયુવતી બેના મોત
આ પણ વાંચો:બનાસકાંઠામાં ત્રણ કિ.મી.નો માર્ગ ત્રણ વર્ષ કરતાં વધુ વર્ષથી ન બનતા ગ્રામજનો ઉગ્ર
