રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહને નાણાં અંગે સંસદની સ્થાયી સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કર્યા.
રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ કોંગ્રેસના દિગ્વિજય સિંહની જગ્યાએ પૂર્વ વડા પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહને નાણાકીય સંસદની સ્થાયી સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે.
રાજ્યસભા સચિવાલય દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા બુલેટિન મુજબ નાયડુએ દિગ્વિજય સિંહને શહેરી વિકાસ અંગેની સ્થાયી સમિતિમાં નિયુક્ત કર્યા હતા.
નાણાં અંગેની સંસદીય સમિતિના સભ્ય દિગ્વિજય સિંહની જગ્યાએ રાજ્યસભાના અધ્યક્ષ નાયડુએ મનમોહન સિંઘની નિમણૂક કરી છે, જે હાલમાં રાજ્યસભાના સભ્ય છે. આ સાથે નાયડુએ રાજ્ય સભાના સભ્ય દિગ્વિજય સિંહને શહેરી વિકાસ સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દિગ્વિજય સિંહે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ માટે નાણાકીય સંસદીય સ્થાયી સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. મનમોહનસિંઘ 1991 થી 1996 દરમિયાન દેશના નાણાં પ્રધાન હતા. આ વર્ષે જૂનમાં સમાપ્ત થયેલા રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન, તે સપ્ટેમ્બર 2014 થી મે 2019 સુધી પેનલના સભ્ય હતા.
ઉલ્લેખનીય છે કે, મનમોહન સિંહ ઓગસ્ટમાં રાજસ્થાનથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા. છેલ્લી ટર્મમાં, પેનલે ચર્ચા-વિચારણા માટે વિવિધ વિવાદાસ્પદ મુદ્દાઓ ઉભા કર્યા હતા, જેમ કે નોટબંધી અને જીએસટી. આ સમય દરમિયાન મનમોહનસિંહે ખૂબ સક્રિય ભૂમિકા ભજવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.