બોલીવુડના દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, છેલ્લા અહેવાલો મુજબ તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.
બોલિવૂડની દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરની તબિયત ખરાબ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્વાસની તકલીફની ફરિયાદ બાદ તેને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. લતા મંગેશકરને વાયરલ અને શ્વાસ લેવામાં તકલીફ બાદ તબીબી સારવાર આપવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર તેમને વાયરલ ઇન્ફેકશન છે અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, લતા મંગેશકર 28 સપ્ટેમ્બરના રોજ 90 વર્ષના થઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.