અરવલ્લી,
હિંમતનગરનાં ઢુંઢર ગામમાં 14 માસની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ રાજ્યમાં ઠેરઠેર સજ્જડ બંધ પાડવામાં આવી રહ્યું છે. ત્યારે બાળકી પર દુષ્કર્મ મામલે ધનસુરા સજ્જડ બંધ પાળવામાં આવ્યુ. ઠાકોર સેના દ્વારા બંધનું એલાન અપાયુ છે. તમામ વેપારીઓ ધંધા-રોજગાર બંધ પાડી આપ્યું સમર્થન અપાયુ છે. બાળકીને ન્યાય અને આરોપીને ફાંસીની સજાની માંગ કરાઇ છે.