પ્રજાસત્તાક દિન પર, ગુજરાતના 19 પોલીસ અધિકારીઓને ઉત્તમ અને પ્રશંસનીય કાર્ય કરવા બદલ પ્રજાસત્તાક દિન પર મેડલ આપવામાં આવશે. બે પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 17 સૈનિકોને પોલીસ મેડલ આપવામાં આવશે. રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે જેના નામ છે તેમાં પીઆઇ બિન્દેશ શાહ અમદાવાદ, કુમાર રાય જગદીશરાય ચંદ્ર વાયરલેસ પીઆઈ કમિશનર કચેરી અમદાવાદનો સમાવેશ થાય છે.
આઇજી ડો.અર્ચના શિવહરે, આઇજી જેઆર આર મોથાલિયા, ડીવાયએસપી રમેશ કે પટેલ, એસીપી આર.આર. સરવૈયા, ડીવાયએસપી ભારત માલી, સશસ્ત્ર ડીવાયએસપી વિક્રમ ઉલવા, ડીવાયએસપી રાજેશ બરાડ,
ડીવાયએસપી કિરણ પટેલ, વાયરલેસ પીઆઈ કુમોદચંદ્ર પટેલ, પીઆઇ હિતેન્દ્રસિંહ ગઢવી, એએસઆઈ જીતેન્દ્ર પટેલ, એએસઆઈ બળવંત ગોહેલ, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્ર સિંહ કોસડા, એએસઆઈ કિરીટ જયસ્વાલ અને પોલીસ કોન્સ્ટેબલ નારણભાઇ પાપનિયાના નામ સામેલ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…