Not Set/ જયંતિ ભાનુશાળી હત્યા મામલો:મારા ભાઈ નિર્દોષ છે તેમને ખોટી રીતે ફસાવાનો પ્રયત્ન : દિનેશ પટેલ

અરવલ્લી, જયંતિ ભાનુશાળી ચકચારી હત્યા કેસમાં જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ છબીલ પટેલ અને તેમના પુત્ર સિધ્ધાર્થ પટેલ ઉપર જયંતિ ભાનુશાળીની હત્યાનો આક્ષેપ કરી છબીલ પટેલ અને તેના પુત્ર સિદ્ધાર્થ પટેલ સહિત 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રાયણનામાળ કંપા ગામે રહેતા તેમના નાના ભાઈ દિનેશ પટેલ મીડિયા સામે આવ્યા હતા. આ […]

Top Stories Gujarat Others Videos
mantavya 165 જયંતિ ભાનુશાળી હત્યા મામલો:મારા ભાઈ નિર્દોષ છે તેમને ખોટી રીતે ફસાવાનો પ્રયત્ન : દિનેશ પટેલ

અરવલ્લી,

જયંતિ ભાનુશાળી ચકચારી હત્યા કેસમાં જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ છબીલ પટેલ અને તેમના પુત્ર સિધ્ધાર્થ પટેલ ઉપર જયંતિ ભાનુશાળીની હત્યાનો આક્ષેપ કરી છબીલ પટેલ અને તેના પુત્ર સિદ્ધાર્થ પટેલ સહિત 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રાયણનામાળ કંપા ગામે રહેતા તેમના નાના ભાઈ દિનેશ પટેલ મીડિયા સામે આવ્યા હતા. આ અંગે તેમના ભાઈ એ જણાવ્યું કે, છબીલ પટેલ એક સંસ્કારી વ્યક્તિ છે. તે ક્યારેય કોઈની હત્યા કરે કે કરાવે નહિ અને તે નિર્દોષ છે. તેવું કહી છબીલ પટેલનો બચાવ કર્યો હતો અને છબીલ પટેલ છેલ્લા કેટલાય વર્ષોથી કચ્છમાં સ્થાયી થયા હતા. સમગ્ર ઘટનાની જાણ તેમના ભાઈને ટીવીના માધ્યમથી થઈ હતી.તેમના ભાઈ છબીલ પટેલ કે તેમના પરિવારજનો સાથે તેમનો હાલ કોઈ સંપર્ક થયો નથી.

જયંતી ભાનુશાળીની હત્યામાં ભાનુશાળીના પરિવારજનો દ્વારા 5 લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે, તેમાં એક નામ વાપીની મનિષા ગોસ્વામીનું છે.  મનીષા છેલ્લાં 10 દિવસથી પરિવારથી સંપર્ક વિહોણી: લોકચર્ચા (વધુ વિગત માટે ક્લિક કરો).

ભાનુશાળીના પરિવારજનોના ગંભીર આક્ષેપ

સોમવારે રાત્રે ટ્રેનમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી હતી. પૂર્વ એમએલએ ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા તે સમયે આ બનાવ બન્યો. માલિયા પાસે અજાણ્યા માણસોએ એસી કોચમાં ઘૂસીને તેમની પર અંધાધુંધ ગોળી ચલાવી હતી. ગોળી આંખમાં અને છાતીમાં વાગી જતા ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

હત્યામાં છબીલ પટેલનો હાથ?

જયંતિ ભાનુશાળીના ભાઈ શુંભુ ભાનુશાળીએ ગંભીર આક્ષેપ કરતા છબીલ પટેલનું નામ લીધુ છે. તેમને છબીલ પટેલ સહિત 4થી 5 લોકો પર હત્યાની શંકા વ્યક્ત કરી છે. આ સાથે જ ભાનુશાળીના પરિવારજનો તેમજ તેમની પત્નીએ છબીલ પટેલે હત્યા કરાવી હોવાનો આરોપ મૂક્યો છે.

ભુજથી દાદર જતી ટ્રેનમાં ભાનુશાળીની લાશ મળી હતી, CCTV ફૂટેજની મદદ લેવાશે. ( વધુ વિગત ક્લિક કરો)

જયંતિ ભાનુશાળીના પત્નીએ કહ્યું કે,’છબિલ પટેલે અગાઉ પણ મારા પતિ પર આક્ષેપો કર્યા હતા, મારા પતિની હત્યા કરાવી તે વિદેશ જતો રહ્યો છે, સોપારી આપીને છબીલ પટેલે જ હત્યા કરાવી છે’.

જયંતિ ભાનુશાળીના ભાઈએ કહ્યુ કે, મારા ભાઈ જયંતિ ભાનુશાળીની રાજકીય હત્યા કરવામાં આવી છે. પહેલો ભાઈ (છબિલ પટેલ) પહેલાથી જ કહેતો હતો. તેણે મારા ભાઈને પહેલા બે વખત છોકરીઓને કેસમાં ફસાવ્યો છે.

એમાં સફળ ન રહેતા બીજા બે-ત્રણ કાવતરાં કર્યા હતા. તે કહેતો હતો કે હું રાજકારણમાંથી જયંતિ ભાનુશાશીનો ‘ર’ જ કાઢી નાખીશ. છબિલ પટેલે પોતાના સાગરિતો રાખ્યા છે. તેમણે અમારી સાથે કહેવા પૂરતું સમાધાન કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે હું જયંતિભાઈને મૂકીશ નહીં. તેમણે માણસો રાખીને હત્યા કરાવી છે. હજી અમારા ઘર પર ફાયરિંગ કરશે તેવો અમને ડર છે. કારણ કે તે કહી ચુક્યો છે કે હું મૂકીશ નહીં.