નવી દિલ્હીઃ બોલીવુની એક્ટ્રેસ મલાઇકા અરોડા અને અરબાસ ખાનની છુટાછેડાના સમાચાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. બન્ને સેલિબ્રિટીએ ફેમિલી કોર્ટમાં પોતાના છુટાછેડાની અરજી કરેલી છે. થોડા સમય પહેલા જ આ મામલે બન્ને કોર્ટમાં ગયા હતા અને હવે એવી માહિતી સામે આવી રહી છે કે, મલાઇકાએ અરબાજ પાસે છુટાછેડા માટે ભરણપોષણ માટે 10 કરોડની માંગ કરી છે.
તેમનો પુત્ર હવે કોની પાસે રહેશે અરબાજ મલાઇકાની ભરણપોષણની માંગ પુરી કરે છે કે, નહી એ આવનારા સમયમાં ખબર પડશે.
મલાઇકાના અને અરબાજના લગ્ન 1998 માં થયા હતા. અને 28 માર્ચ 2016 ના રોજ બંન્નેએ અલગ થવાનું મન બનાવી લીધું હતું.
તેમજ સાથે રાખી પાંચ શરતો
પોશ એરિયામાં બાન્દ્રામાં એક ફ્લેટ છે. જેની કિંમત 3.5 કરોડ રૂપિયા છે.
દીકરાના નામ પર 2.5 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ
દીકરાના નામ પર જ 2 કરોડ રૂપિયાની એક કાર
અભ્યાસ માટે દર મહિને 5 લાખ રૂપિયા
પોતાના ડિવોર્સ માટે વધારાના 5 કરોડ રૂપિયાની માગ રાખી છે.