દેશમાં કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો યથાવત છે અને અવિરત રીતે ઘટાડો ચાલુ છે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1581 કેસ નોંધાયા છે,જ્યારે 33 દર્દીઓના કોરોનાના લીધે મોત નિપજ્યા છે.
ભારતમાં હાલ કોરોનાની લહેર સમાપ્તી તરફ આગળ વધી રહી છે જે એક સારા સમાચાર છે, દેશમાં કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકારે કમરકસી છે અને કોરોના રસી પર ભાર મુક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 1581 નવા કેસ નોંધાયા છે. આ સાથે આ દરમિયાન 33 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સક્રિય કેસ ઘટીને 23,913 થઈ ગયા છે. તે જ સમયે, સક્રિય કેસ હવે કુલ કેસના માત્ર 0.06 ટકા છે.
દેશમાં સાજા થનારા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,741 લોકો કોરોના સંક્રમણથી સાજા થયા છે, ત્યારબાદ દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,24,70,515 થઈ ગઈ છે.તેની સાથે રિકવરી રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં રિકવરી રેટ વધીને 98.74 ટકા થયો છે. તે જ સમયે, દેશમાં દૈનિક હકારાત્મકતા દર વધીને 0.28 ટકા અને સકારાત્મકતા દર 0.39 ટકા થઈ ગયો છે.