Encounter/ જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, સૌથી જૂનો આતંકવાદી માર્યો ગયો

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર જ્યારે સુરક્ષા દળો એક ચોક્કસ વિસ્તાર તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે ત્યાં પહેલાથી હાજર આતંકવાદીઓએ તેમના…

Top Stories India
સેનાને મોટી સફળતા

સેનાને મોટી સફળતા: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા જેને લઈને સેનાને મોટી સફળતા મળી. પોલીસે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અનંતનાગ જિલ્લાના પહલગામ વિસ્તારના શ્રીચંદ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર જ્યારે સુરક્ષા દળો એક ચોક્કસ વિસ્તાર તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે ત્યાં પહેલાથી હાજર આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી, ત્યારબાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીનના છે, જેમાંથી એકનું નામ અશરફ મૌલવી કહેવામાં આવી રહ્યું છે, જે હિઝબુલનો સૌથી જૂનો આતંકવાદી છે અને લાંબા સમયથી બચી રહેલો હતો.

કાશ્મીર ઝોન પોલીસે એક ટ્વિટમાં માહિતી આપી હતી કે અનંતનાગ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે અને તેમાંથી એકની ઓળખ અશરફ મૌલવી તરીકે થઈ છે, જે સૌથી જૂના હિઝબુલ આતંકવાદીઓમાંથી એક છે, જ્યારે અન્ય બેની ઓળખ થવાની બાકી છે. એક સમાચાર એજન્સીએ કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારને ટાંકીને જણાવ્યું હતું કે, હિઝબુલ મુજાહિદ્દીન સંગઠનના સૌથી જૂના આતંકવાદીઓમાંથી એક અશરફ મૌલવી અન્ય બે આતંકવાદીઓ સાથે માર્યો ગયો હતો. અમરનાથ યાત્રાના રૂટ પર એન્કાઉન્ટર અમારા માટે મોટી સફળતા છે.

આ પણ વાંચો: Death Ratio/ WHOની કોરોનાનાં કારણે મૃત્યુ પામતા લોકોની ગણતરી ખોટી: સંબિત પાત્રા