Gujarat News : દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઈને દેશભરમાં ચર્ચા તેજ બની છે. એક તરફ આંદોલનને વિવિધ વર્ગો તરફથી સમર્થન મળી રહ્યું છે, જ્યારે બીજી તરફ રાજકીય ચર્ચાઓ પણ ગરમાઈ રહી છે. આવી સ્થિતિમાં હવે સોશિયલ મીડિયા મારફતે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી આરોહીએ પોતાનું નિવેદન (Arohi Statement)આપ્યું છે.
અભિનેત્રીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી (Arohi Instagram Story)માં સ્પષ્ટ જણાવ્યું કે તેમની ચિંતા માત્ર એવા વિદ્યાર્થીઓ માટે છે, જેઓ પોતાની સમસ્યાઓ અને ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓની વાત તેમના મેરિટ અને હકના આધારે સાંભળવી જોઈએ, તેને રાજકીય રંગ આપવો યોગ્ય નથી.
શિક્ષણને રાજકારણથી દૂર રાખવાની અપીલ

આરોહીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે જ્યારે પણ વિદ્યાર્થીઓના પ્રશ્નો સામે આવે છે ત્યારે ચર્ચા મૂળ મુદ્દાથી ભટકી રાજકીય નેરેટિવમાં ફેરવાઈ જાય છે. પરિણામે ખરેખર મુશ્કેલીમાં રહેલા વિદ્યાર્થીઓનો અવાજ દબાઈ જાય છે.
તેમણે વધુમાં લખ્યું કે શિક્ષણ રાજકારણથી પર હોવું જોઈએ અને વિદ્યાર્થીઓ ન્યાય તેમજ પારદર્શિતાના હકદાર છે. સમાજે એક વખત રાજકીય મતભેદોને બાજુએ રાખીને વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળવી જોઈએ.
સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઈને સોશિયલ મીડિયા પર સતત ચર્ચા ચાલી રહી છે. કેટલાક જાણીતા કલાકારો આંદોલનના સમર્થનમાં ખુલ્લેઆમ બોલી રહ્યા છે, જ્યારે ઘણા સેલિબ્રિટીઓએ હજુ સુધી કોઈ જાહેર નિવેદન આપ્યું નથી.
આ દરમિયાન આરોહીનું નિવેદન (Arohi Statement)ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેમની પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકો તેમના અભિપ્રાયને સમર્થન આપી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો અલગ મત પણ વ્યક્ત કરી રહ્યા છે.
ગુજરાતમાં પણ દેખાયો વિરોધનો સ્વર
તાજેતરમાં અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન (Student Protest)યોજાયા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓના પ્રશ્નો, પારદર્શિતા અને ન્યાયની માંગ સાથે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. હવે ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરવા લાગ્યા છે.
