રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ છે પરંતુ ઘણા એવા વિસ્તારો પણ છે જ્યા વરસાદે કહેર વરસાવ્યો છે. જેની અસર હવે અરવલ્લીનાં શામળાજી કોલેજમાં થનારી પરીક્ષા પર પડી છે. જી હા આજે અહી BA, MA સેમિસ્ટર-1 અને સેમિસ્ટર-3ની પરીક્ષા લેવાની હતી તેને હવે રદ્દ કરવામાં આવી છે. અહી મેશ્વો ડેમનાં ઓવરફ્લો થતા પાણીથી રસ્તો બંધ થઇ ગયો છે. જેના કારણે BA, MA સેમિસ્ટર-1 અને સેમિસ્ટર-3નાં વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.
અરવલ્લીનાં શામળાજી કોલેજમાં વિદ્યાર્થીઓની પરીક્ષા ભારે વરસાદ બાદ મેશ્વો ડેમનાં ઓવરફ્લો પાણીથી રસ્તો બંધ થવાથી થઇ છે. અહી BA, MA સેમિસ્ટર-1 અને સેમિસ્ટર-3નાં વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસમાં કુલ 4 પેપરની પરીક્ષા રદ્દ કરવામા આવી છે અંદાજે 2000 જેટલા વિદ્યાર્થીઓ કોલેજની ઇન્ટરનલ પરીક્ષા આપવાના હતા. મળી રહેલી માહિતી અનુસાર રદ્દ કરવામા આવેલી પરીક્ષા આગામી 5 તારીખે લેવાશે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.