આજે અમે તમને ઉત્તર પ્રદેશના એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં મોટાભાગની દેવી-દેવતાઓની મૂર્તિઓમાં માથું નથી. સામાન્ય રીતે લોકો ખંડિત એટલે કે તૂટેલી મૂર્તિની પૂજા નથી કરતાં. પરંતુ અહીં આ મૂર્તિઓ 900 વર્ષથી સચવાયેલી છે અને તેમની પૂજા પણ કરવામાં આવે છે.
આ મંદિર ઉત્તર પ્રદેશની રાજધાનીથી 170 કિમી દૂર પ્રતાપગઢના ગોંડે ગામમાં સ્થિત છે. આ મંદિર લગભગ 900 વર્ષ જૂનું છે. અષ્ટભુજા ધામ મંદિરની મૂર્તિઓનું માથું ઔરંગઝેબે કાપી નાખ્યું હતું. માથું કપાયેલી આ અમુર્તીઓ આજે પણ આ મંદિરમાં એ જ સ્થિતિમાં રાખવામાં આવી છે.
એએસઆઈના રેકોર્ડ મુજબ, મોગલ શાસક ઔરંગઝેબે 1699 એડીએ હિન્દુ મંદિરોનો નાશ કરવાનો આદેશ આપ્યો. તે સમયે, તેને બચાવવા માટે, અહીંના પુજારીએ મંદિરનો મુખ્ય દરવાજો મસ્જિદના આકારમાં બનાવ્યો હતો, જે મૂંઝવણ પેદા કરે અને મંદિર તુટવા થી બચી શકે.
મોગલ સૈન્ય લગભગ આ મંદિર નીસમે થી પસાર થી ગયું હતું. પરંતુ અચાનક એક સૈનિક નજર મંદિરમાં લટકાવેલા ઘંટ ઉપર પડી. ત્યારબાદ સેનાપતિએ તેના સૈનિકોને મંદિરની અંદર જવા કહ્યું અને અહીં સ્થાપિત બધી મૂર્તિઓનું શિરચ્છેદ કરવામાં આવ્યું. આજે પણ આ મંદિરની મૂર્તિઓ એજ હાલતમાં જોવા મળી રહી છે.
ઇતિહાસકારો અને પુરાતત્વવિદોએ મંદિરની દિવાલો, કોતરણી અને વિવિધ આકાર જોયા પછી તેને 11 મી સદીનો માન્યો છે. ગેઝેટિયર અનુસાર, આ મંદિર સોમવંશી ક્ષત્રિય રાજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિરના દરવાજા પરની છબીઓ મધ્યપ્રદેશના પ્રખ્યાત ખજુરાહો મંદિરની સમાન છે.
મંદિરમાં આઠ હાથવાળી અષ્ટભુજા દેવીની પ્રતિમા છે. ગ્રામજનો કહે છે કે અગાઉ આ મંદિરમાં અષ્ટભુજા દેવીની અષ્ટધાતુની પ્રાચીન મૂર્તિ હતી. તે કેટલાક વર્હો પહેલા ચોરી થી ગઈ છે. આ પછી, સામૂહિક સહયોગથી ગ્રામજનોએ અષ્ટભુજા દેવીની અહીં પત્થરની પ્રતિમા સ્થાપિત કરી.
આ મંદિરના મુખ્ય દરવાજા પર ખાસ ભાષામાં કંઈક લખ્યું છે. ઘણા પુરાતત્ત્વવિદો અને ઇતિહાસકારો તે કઈ ભાષા છે તે સમજવામાં નિષ્ફળ ગયા છે. કેટલાક ઇતિહાસકારો તેને બ્રહ્મી લિપિ કહે છે. તો કેટલાક તેનાથી પણ વધુ જૂની કોઈભાષા કહી રહ્યા છે. પરંતુ અહીં શું લખ્યું છે તે હજી સુધી કોઈને સમજાયું નથી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…