ગલવાન ખીણમાં ભારતીય દળો સાથેના સંઘર્ષમાં ચીનને જે નુકસાન થયું તે હવે તેની અસર બતાવી રહ્યું છે. ચીન દ્વારા માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાની ઘોષણા બાદ ચીનમાં જ સવાલો ઉભા થયા છે. સ્થિતિ એ છે કે ચિની સરકાર સવાલો ઉઠાવનારાઓ પર જ કાર્યવાહી કરી રહી છે.
જાણો શું છે મામલો
ચીને જાહેરાત કરી હતી કે ગલવાન ખીણમાં ભારતીય સૈન્ય સાથેની અથડામણમાં તેના 4 સૈનિકો માર્યા ગયા છે. આ અંગે ચીનના તપાસનીશ પત્રકાર અને ઘણા બ્લોગર્સ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક પૂર્વ ચીની પત્રકાર ક્યૂ જિમિંગે સ્પષ્ટ કહ્યું હતું કે આ સંઘર્ષમાં મૃત્યુ પામેલા ચીની સૈનિકોની સંખ્યા આના કરતાં ઘણી વધારે છે. જ્યારે અન્ય સૈનિકોની મદદ માટે આવતા હતા ત્યારે તેઓ મૃત્યુ પામ્યા હતા. તે જ સમયે, તેમણે સવાલો ઉઠાવ્યા કે ચીની સરકારને આ સ્વીકારવામાં 8 મહિના કેમ થયા. જિમિંગના સોશિયલ મીડિયા વેબસાઇટ વી બો પર 2.5 મિલિયન ફોલોઅર્સ છે અને તે મોટા મીડિયા સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અન્ય બ્લોગરોએ પણ ચીની સરકાર વિશે આવા જ પ્રશ્નો ઉભા કર્યા છે.
ચીનના બ્લોગરે શું કહ્યું ભારત સરકાર પર?
જિમિંગે કહ્યું કે ભારતે ચીન સિવાય તરત જ તેના શહીદ સૈનિકોની સંખ્યા જાહેર કરી હતી. ભારતની તાત્કાલિક ઘોષણા સૂચવે છે કે ભારતે સંઘર્ષ જીત્યો હતો અને સંઘર્ષમાં ઓછુ નુકશાન થયું હતું. તેથી, તેઓએ તરત જ શહીદોની માહિતી સામે મૂકી.
ચીની સરકારે શું કરી કાર્યવાહી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીની સરકારે પુછપરછ બાદ પૂર્વ પત્રકારની સાથે 3 અન્ય બ્લોગર્સની પણ ધરપકડ કરી છે. તેના પર ખોટી વાતોનો પ્રચાર કરવાનો આરોપ છે. તેમનું સોશીલ મીડિયા એકાઉન્ટ પણ બંધ કરાયું છે. જોકે, આ ધરપકડ ચીનમાં મોટો કેસ બની રહી છે,કાલે લોકો આ પત્રકારો અને બ્લોગર્સની તરફેણમાં આવી રહ્યા છે.