વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશની સૌ પ્રથમ ઇન્ડિયન આયુર્વેદ સંસ્થા રાષ્ટ્રને સમર્પિત કરી હતી. નવી દિલ્હી સરિતા વિહારમાં બીજા આયુર્વેદ દિવસના પ્રસંગે પીએમ મોદીએ આ સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું હતું.
ઇન્ડિયન આયુર્વેદ સંસ્થાની સ્થાપના 10 એકરના ક્ષેત્રમાં કરવામાં આવી છે તેનો કુલ ખર્ચ 157 કરોડ રૂપિયા થયો છે. આ સંસ્થા એનબીએચ દ્રારા પ્રમાણિત છે તેમજ તેમાં એક એકેડેમિક બ્લોક પણ બનાવવામાં આવ્યો છે.
દેશમાં પ્રથમ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદની સ્થાપના આયુષ મંત્રાલય નેજા હેઠળ કરવામાં આવી છે જે આયુર્વેદ અને સારવાર માટે અપનાવવામાં આવી રહેલી આધુનિક ટેકનોલોજી વચ્ચે તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરશે