ઉત્તર પ્રદેશના બરેલીમાં ગમખ્વાર અકસ્માત થયો છે. આ માર્ગ અકસ્માતમાં એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે થયો હતો . અકસ્માત ગમખ્વાર હતો કે એમ્બ્યુલન્સમાં સવાર સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં 3 મહિલા અને 4 પુરૂષોએ જીવ ગુમાવ્યો હતો. સીએમ યોગી આદિત્યનાથે પણ બરેલીમાં આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ યોગીએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોની યોગ્ય સારવાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
ઉત્તરેપ્રદેશના બરેલીમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાતા સાત લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા, ટ્રકે એમ્બ્યુલન્સને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો , આજુબાજુના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને સત્વરે પોલીસને જાણ કરી હતી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ વિસ્તારમાં ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો.