ઘરેલુ ઓટોમોબાઈલ માર્કેટમાં મંદી બાદ પણ ટાટા મોટર્સ કર્મચારીઓને છૂટા નહીં કરે. કંપનીને આશા છે કે આગામી કેટલાક મહિનામાં લોંચ કરાયેલા નવા ઉત્પાદનોનાં આધારે કામગીરીમાં સુધારો થશે. કંપનીનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર ગુંટર બટશેકે એક ઇન્ટરવ્યૂમાં આ માહિતી આપી હતી. તેમને પૂછવામાં આવ્યું કે, શું કંપની વાહન ક્ષેત્રે સતત નરમાઇને કારણે કર્મચારીઓને છૂટા કરી શકે છે, તેમણે કહ્યું કે, અમારી પાસે આવી કોઈ યોજના નથી. તેમણે કહ્યું કે, જો કંપનીનું કંઇક આવું કરવાની યોજના હોત, તો તે પહેલાથી જ કરી લેતી.
બટશેકે કહ્યું કે, અમે 12 મહિનાથી આવેલી નરમીનાં સંકટથી લડી રહ્યા છીએ. જો અમે છૂટા પડવા માંગતા હોત, તો અમે તે પહેલાથી કરી દીધું હોત. તેમણે કહ્યું હતું કે, કંપની આગામી કેટલાક મહિનામાં એલ્ટ્રોઝ, નેક્સન ઇવી અને ગ્રેવિટાસ એસયુવી સહિતનાં અન્ય ઉત્પાદનો લોન્ચ કરશે. આ સિવાય ભારત ફેઝ છ ઉત્સર્જન ધોરણોને પણ અપનાવી રહ્યું છે. તેમણે કહ્યું, “મને ખાતરી છે કે અર્થતંત્ર જે પણ દિશા તરફ જાય છે, અમે બજાર કરતા સારુ પ્રદર્શન કરવા તૈયાર છીએ.” આ ઉત્પાદનો જુદા જુદા ભાવની રેન્જમાં હોવાથી, આપણી નફાની સંભાવના પહેલા કરતા વધુ સારી છે. તેથી, હું અત્યારે ખૂબ જ સકારાત્મક છું.
તેમણે કહ્યું કે, “આ સમયે કર્મચારીઓને છૂટા કરવાની જરૂર નથી, કારણ કે બજારમાં વૃદ્ધિ થાય ત્યારે અમને માનવબળની જરૂર પડશે. જો કે, બટશેકે સ્વીકાર્યું કે તેની 30 વર્ષની કારકિર્દીમાં તેણે આવી અનિશ્ચિતતા જોઈ નથી. તેમણે કહ્યું, “આપણે વસ્તુઓને સાવધાનીથી જોવાની અને વધુ સારી સમજ અપનાવવાની જરૂર છે.” આપણે હવે જે જોઇ રહ્યા છીએ તે ફક્ત ચક્રીય કરતા વધુ સંરચનાત્મક કારણોસર છે. આવી સ્થિતિમાં, ભવિષ્ય અનિશ્ચિત બને છે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.