સુપ્રીમ કોર્ટે શનિવારે અયોધ્યામાં વિવાદિત સ્થળે રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો, અને કેન્દ્ર સરકારને મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને ફાળવવાનો નિર્દેશ આપ્યો હતો. પાંચ જજોની ખંડપીઠે સર્વાનુમતે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને વિવાદિત સ્થળે મંદિર નિર્માણ માટે ત્રણ મહિનાની અંદર એક ટ્રસ્ટ સ્થાપવાનો નિર્દેશ આપ્યો હતો. ખંડપીઠે ચુકાદામાં કહ્યું હતું કે, વિવાદિત 2.77 એકર જમીનનો અધિકાર રામલાલાની મૂર્તિને સોંપવો જોઈએ. જો કે, તેનો કબજો કેન્દ્ર સરકારના રીસીવર પાસે જ રહેશે.
પીએમ મોદીએ અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું, ‘દેશની સુપ્રીમ કોર્ટે અયોધ્યા અંગે આપેલા ચુકાદાને કોઈની હાર કે જીત તરીકે જોવું જોઈએ નહીં. તે રામભક્તિ હોય કે રહીમાભક્તિ, ભક્તિની ભાવનાને મજબૂત બનાવવાનો આ સમય છે.
ઉત્તર પ્રદેશ સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારૂકીએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો નમ્રતાથી આદર કરીએ છીએ. હું સ્પષ્ટ કરવા માંગું છું કે યુપી સુન્ની વકફ બોર્ડ સુપ્રીમ કોર્ટના આદેશની સમીક્ષા માટે અપીલ કરશે નહીં કે તે કોઈ ઉપાયની અરજી કરશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.