થરાદ,
થરાદ શહેરની ભરબજારમાં આવેલા શહેરના સોનાચાંદીના એક મોટા શોરૂમ પર સોમવારની રાત્રે લુંટના ઇરાદે ત્રાટકેલા બુકાનીધારીઓએ ફાયરીંગ કરી વૃદ્ધ માલિકને ઇજા પહોંચાડતાં બજારમાં ભય સાથે ઉત્તેજનાનો માહોલ ફેલાવા પામ્યો હતો.
બનાવની જાણ થતાં દોડી આવેલા એ.એસ.પી.એ સીસીટીવી ફુટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરી હતી.આ બનાવની જાણ થતાં એએસપી અજીત રાજ્યાણ પણ પીએસઆઇ નકુમ અને સ્ટાફ સાથે દોડી આવ્યા હતા.
જેમણે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.અત્રે નોંધનીયછે કે થરાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી,મર્ડર અને લુંટ જેવી ઘટનાઓ વધવા પામી છે તેમાંય આવી ઘટના બનતાં ભારે ફફડાટનો માહોલ ફેલાવા પામ્યો હતો.બનાવના પગલે બજારમાં મોટી સંખ્યામાં લોકોના ટોળાં જામી ગયાં હતાં.