bangladesh news/ બાંગ્લાદેશમાં શેખ હસીનાને અદાલતે 21 વર્ષની જેલની સજા સંભળાવી, ફાંસી બાદ બીજી સુનવણી

શેખ હસીના ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં સત્તા વિરોધી આંદોલન બાદ દેશ છોડીને ભાગી ગયા હતા અને ત્યારથી ભારતમાં રહે છે.

international Top Stories World

Bangladesh News: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભ્રષ્ટાચારના એક કેસમાં 21 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં શેખ હસીનાને બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (International Criminal Tribunal) દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

બાંગ્લાદેશમાં યૂનુસનો અંત થશે 

એક મહિનામાં શેખ હસીના વિરુદ્ધ આ બીજો મોટો ચુકાદો છે. આ સાબિત કરે છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ શેખ હસીનાની રાજનીતિને જડમૂળથી અંત આવ્યો છે. એટલા માટે તેની વિરુદ્ધ એક પછી એક નિર્ણયો સંભળાવવામાં આવી રહ્યા છે. શેખ હસીના ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં સત્તા વિરોધી આંદોલન બાદ દેશ છોડીને ભાગી ગયા હતા અને ત્યારથી ભારતમાં રહે છે.

રિપોર્ટ અનુસાર, તેને રાજધાની ઉન્નયન કાત્રિપક્ખા (RAJUK) ના પૂર્વાંચલ ન્યુ ટાઉન પ્રોજેક્ટમાં પ્લોટની વહેંચણી સંબંધિત ત્રણ અલગ-અલગ ભ્રષ્ટાચારના કેસમાં સાત-સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે અને કુલ સજા વધારીને 21 વર્ષ કરવામાં આવી છે. એટલે કે, ત્રણેય કેસોમાં અલગ-અલગ સજાઓ ભોગવવી પડશે. ઢાકા સ્પેશિયલ જજ કોર્ટ-5 (Dhaka Special Judge Court-5 )ના જજ મોહમ્મદ અબ્દુલ્લા અલ મામુને આજે સવારે 11:45 વાગ્યે ચુકાદો સંભળાવ્યો હતો. ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ બંનેની દલીલો 23 નવેમ્બરે પૂરી થઈ હતી, ત્યારબાદ કોર્ટે ચુકાદાની તારીખ નક્કી કરી હતી. આજે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું

આ પણ વાંચો:ફાંસીની સજા પછી શેખ હસીના હવે શું કરશે? હવે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન પાસે ફક્ત બે જ વિકલ્પો 

આ પણ વાંચો:વિદ્યાર્થી આંદોલન કચડી નાંખવા શેખ હસીના પોતે આદેશ આપી રહ્યા હતા, બાંગ્લાદેશની કોર્ટમાં પૂર્વ PM પર લાગ્યા ગંભીર આરોપો