વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ત્રિપુરાના 1 લાખ 47 હજારથી વધુ લાભાર્થીઓના બેંક ખાતામાં DBT દ્વારા 700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે . પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને તેમના પાકાં મકાનો માટે સબસીડી આપવામાં આવતી હોય છે . ત્યારે આજે પીએમ મોદીએ ત્રિપુરામાં યોજાયેલા આ આવાસ યોજનાના કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો હતો.આ કાર્યક્રમમાં ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ પણ ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહે પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા .
આ પણ વાંચો ;શ્રદ્ધાંજલિ / માયાવતીને મળવા તેમના ઘરે પહોંચ્યા પ્રિયંકા ગાંધી, માતાના નિધન પર વ્યક્ત કર્યો શોક
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ બેંક ખાતાઓમાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કર્યા પછી, પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે પણ વાત કરી. પ્રધાનમંત્રી આવાસ યોજનાગ્રામીણ હેઠળ બેંક ખાતાઓમાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કર્યા પછી, પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે પણ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 7 વર્ષથી અમારો પ્રયાસ છે કે દરેકને સરકારની યોજનાનો લાભ મળે. અગાઉ સરકારની યોજનાનો લાભ અમુક લોકોને જ મળતો હતો.
આ પણ વાંચો ;અમેરિકામાં હત્યા / ગુજરાતનો પોલીસ અધિકારી હત્યા બાદ પણ બનશે ઉપયોગી, પોતાના અંગોના દાનથી 11 લોકોને જીવનદાન
પીએમ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણના લાભાર્થી અનિતા સાથે વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે હું તમને ઘર આપી શકું છું, પરંતુ માત્ર તમે જ તમારા બાળકોને મજબૂત ભવિષ્ય આપી શકો છો, એટલા માટે તમે તમારા બાળકોને શિક્ષિત કરો.આઝાદીના ઈતિહાસમાં આપણા પૂર્વોત્તર અને દેશના આદિવાસી લડવૈયાઓએ દેશ માટે બલિદાન આપ્યું છે. આ પરંપરાને માન આપવા માટે, દેશ આ વારસાને આગળ વધારવા માટે સતત કામ કરી રહ્યો છે. અમૃત ઉત્સવ દરમિયાન વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે દર વર્ષે 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવશે.