એસટી-એસસી એક્ટમાં ફેરફાર વિશે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સામે દલિત સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં દેશભરમાં દલિત સંસ્થાઓએ બંધનું એલાન કર્યું. જેમાં રાજકીય પક્ષોએ પણ ટેકો આપ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ઠેરઠેર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદ,
તો આ તરફ અમદાવાદમાં પણ દલિત સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ. સારંગપુર આંબેડકરની પ્રતિમા પાસે લોકોની ભીડ જામી હતી. અમદાવાદ સહિત રાજકોટના જેતપુરમાં સજ્જ બંધ જોવા મળ્યુ હતુ. ભારત બંધના એલાનને પગલે શહેરભરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
સુરત,
સુરતના દલિત સમાજ દ્વારા બંધને સમર્થન આપતા વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. ત્યારે રાજમાર્ગ પર દલિતો ભેગા થઇને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. રાજમાર્ગ પર સાવચેતી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
નવસારી,
નવસારીમાં પણ બંધનું એલાન જોવા મળ્યુ હતુ. ત્યારે આ વિરોધમાં આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી ગયા હતા. ત્યારે નવસારીના રેલવે સ્ટેશનેથી આદિવાસી દલિત સમાજે વિશાળ સંખ્યામાં રેલી કાઢી હતી. રેલવે સ્ટેશને પેટ્રોલ પમ્પ બંધ કરાવવા જતા પોલીસે અટકાવ્યા હતા.
છોટાઉદેપુર,
ત્યારે બોટલમાં પેટ્રોલ લેવા જતા લોકોને પણ અટકાવવામાં આવ્યા હતા. તો વાત કરીએ છોટાઉદેપુરમાં પણ દલિત સમાજ દ્વારા જિલ્લા બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ. બંધને પગલે બોડેલીના બજારો બંધ કરાયા હતા. બંધ કરાવવા નિકળેલા દલિત સમાજના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
સિદ્ધપુર,
તેમજ બંધના એલાનની અસર સિદ્ધપુરમાં પણ જોવા મળી હતી. દલિત સમાજે સિદ્વપુરના હાઇવે પર ચક્કાજામ કર્યુ હતુ અને પાલનપુર હાઇવે પર વાહનોની લાંબી…લાંબી…કતારો લાગી હતી. દલિત સમાજ રોડ પર ઉતરી આવ્યા હતા. સિદ્ધપુરના દેથલી ચાર રસ્તા પાસે મોટી સંખ્યામાં દલિત સમાજે ચક્કાજામ કર્યુ હતુ.