Accident/ વરતેજ પેટ્રોલ પંપ નજીક ગમખ્વાર અકસ્માત, એકનું મોત

ભાવનગર વરતેજ પેટ્રોલ પંપ નજીક ટ્રક અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જયારે પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Top Stories Gujarat Others
a 28 વરતેજ પેટ્રોલ પંપ નજીક ગમખ્વાર અકસ્માત, એકનું મોત

@અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ – ભાવનગર 

  • ભાવનગર રાજકોટ હાઇવે પર સર્જાયો અકસ્માત
  • વરતેજ નજીક બાઇક સવાર દંપત્તિને લીધા અડફેટે
  • ટ્રક ચાલકે અડફેટે લેતા પતિનું ઘટનાસ્થળ પર મોત
  • પત્નીને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાઇ
  • અકસ્માતને લઈને વરતેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી

ભાવનગર વરતેજ પેટ્રોલ પંપ નજીક ટ્રક અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જયારે પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી જાણકારી મુજબ. શિહોર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા આશિષ માવડીયા અને તેમના પત્ની જ્યશ્રીબેન એકટીવા પર શિહોરથી ભાવનગર તરફ આવી રહ્યાં હતા, ત્યારે વરતેજ પેટ્રોલ પંપ નજીક ટ્રકના વ્હીલ હેઠળ એકટીવા અને આશિષભાઈ આવી જતાં તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું જયારે તેમના પત્ની જયશ્રીબેનને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

જો કે કુદરતની કરૂણતા એવી છે કે, આશિષભાઈ અને જયશ્રીબેનના પાંચ દિવસ પહેલા લગ્ન થયા હતા અને આશિષભાઈ તેમના પત્ની જયશ્રીબેનને તેમના પિયર ભાવનગર હાદાનગરમાં શિહોર થી ભાવનગર મુકવા આવતા એ સમયે વરતેજ પેટ્રોલપંપ અકસ્માતની ઘટના હતી.