જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમ લીગ પર પ્રતિબંધ બાદ હવે તહરીક-એ-હુર્રિયત (TeH) પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સંગઠનને UAPA હેઠળ ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું છે. આ સંગઠન જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ જૂથ જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે ભારત વિરોધી પ્રચાર કરી રહ્યું છે અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહ્યું છે. ગૃહ મંત્રાલયે પક્ષને UAPA હેઠળ ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહે આ માહિતી પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર શેર કરી છે.
અમિત શાહે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે પીએમ મોદીની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ છે, તેથી જે પણ વ્યક્તિ કે સંસ્થા ભારત વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલી જોવા મળશે તેને તુરંત નિષ્ફળ કરવામાં આવશે.
મુસ્લિમ લીગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો….
આ પહેલા બુધવારે (27 ડિસેમ્બર) કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર-મસરત આલમ જૂથ (MLJK-MA) પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે આ કાર્યવાહી ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કરી છે. સંગઠન પર આરોપ છે કે તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે અને આતંકવાદી જૂથોને સમર્થન આપે છે. આ જાણકારી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.
તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું “આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે, આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપે છે અને લોકોને જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે.”
આ પણ વાંચો:Maharashtra/છત્રપતિ સંભાજીનગરની ફેક્ટરીમાં લાગી આગ, દાઝી જવાથી છ લોકોના મોત
આ પણ વાંચો:Hiranandani/મુંબઈના ટ્રાફિકે ઉભી કરી મુશ્કેલી તો અબજોપતિ લોકલ ટ્રેનમાં દોડ્યા ઓફિસે
આ પણ વાંચો:Suicide Case/સરકારી ડૉક્ટરે લાઇસન્સવાળી બંદૂકથી ગોળી મારીને કરી આત્મહત્યા, ખળભળાટ ફેલાયો