જાહેરાત/ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ઝોન તેમજ મોરચાઓના પ્રદેશ પ્રમુખોના નામોની કરી જાહેરાત

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આજે પ્રદેશ મહામંત્રી ઓને ઝોનની ફાળવણી તેમજ મોરચાના પ્રદેશ પ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ નામોમાં ઝોન વાઇઝ પ્રદેશ મહામંત્રીના નામો પર નજર કરીએ તો દક્ષિણ ઝોન કર્ણાવતી

Top Stories Gujarat
cr ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ઝોન તેમજ મોરચાઓના પ્રદેશ પ્રમુખોના નામોની કરી જાહેરાત

કોરોનાના વધી રહેલા કહેરની વચ્ચે સીઆર પાટીલે રાજ્યમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેના કાર્યો એક બાદ એક હાથ પર લેવાના શરૂ કરી દીધા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજ્યની 6 મનપાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વિવિધ ઝોન તેમજ મોરચાના હોદ્દેદારો પણ વહેલી તકે જવાબદારી સંભાળે તે માટે સીઆર પાટીલે આજે તેઓના નામ પર મહોર મારી દીધી છે.

bjp2 ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ઝોન તેમજ મોરચાઓના પ્રદેશ પ્રમુખોના નામોની કરી જાહેરાત

મહારાષ્ટ્ર / મહારાષ્ટ્રમાં શું લાગશે લોકડાઉન? આજે સાંજે 8:30 વાગ્યે મુખ્યમંત્રી કરી શકે છે મોટું એલાન

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આજે પ્રદેશ મહામંત્રી ઓને ઝોનની ફાળવણી તેમજ મોરચાના પ્રદેશ પ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ નામોમાં ઝોન વાઇઝ પ્રદેશ મહામંત્રીના નામો પર નજર કરીએ તો દક્ષિણ ઝોન કર્ણાવતી મહાનગર અને પ્રદેશ કાર્યાલય – પ્રદીપસિંહ વાઘેલા, મધ્ય ઝોન -ભાર્ગવભાઈ ભટ્ટ, કચ્છ અને ઉત્તર ઝોન- રજનીભાઈ પટેલ જ્યારે સૌરાષ્ટ્ર ઝોન માટે વિનોદભાઈ ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે.

રાજકોટના પૂર્વ મેયર ઉદય કાનગડની પ્રદેશ ભાજપ પક્ષી પંચ મોરચાના પ્રમુખ બનાવવામાં આવતા સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓનીમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.અત્રે એ બાબતે ઉલ્લેખનીય છે કે ઉદયભાઇ કાનગડ ની કોરોના પોઝિટિવ આવ્યો હોવાના કારણે સિનર્જી હોસ્પિટલ અન્વયે પેટ્રિયા ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. હાલ તેઓની તબિયત સારી છે. તેઓને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શુભેચ્છા પાઠવી છે.

EVM કાંડ / ખોદયો પહાડ નીકળો ઉંદર : સામે આવ્યું EVM કાંડનું સત્ય, કોઈ છેતરપિંડી થઈ નથી, બુથ નંબર 149 પર ફરીથી થશે મતદાન

જ્યારે પ્રદેશ મોરચાના પ્રમુખના નામોની યાદી પર નજર કરીએ તો પ્રશાંતભાઈ કોરાટ રાજકોટ જિલ્લામાં યુવા મોરચાના પ્રમુખ તરીકે, ડોક્ટર દિપીકાબેન સચીન સરગવાની અમદાવાદ મહિલા મોરચાના પ્રમુખ તરીકે, ડોક્ટર પ્રદ્યુમન ભાઈ વાજાની અમદાવાદ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે, ડોક્ટર હર્ષદભાઇ વસાવાની અનુસુચિત જન જાતિ મોરચાના નર્મદાના પ્રમુખ તરીકે, હિતેશભાઈ પટેલની સાબરકાંઠા કિસાન મોરચાના પ્રમુખ તરીકે,ઉદયભાઇ કાનગડની રાજકોટ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે, ડોક્ટર મોસીન ભાઈ લોખંડવાલાની સુરત શહેર લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

તેલનો ખેલ / હવે સડસડાટ ઉતરશે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો ક્યારથી મળશે ફાયદો?

bjp list today ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ઝોન તેમજ મોરચાઓના પ્રદેશ પ્રમુખોના નામોની કરી જાહેરાત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…