આસામના મોરીગાંવમાં તેમની ચૂંટણી સભા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લવ અને લેન્ડ જેહાદ પર કાયદો ઘડવાની વાત કરી છે. આસામમાં પ્રચાર માટે પહોંચેલા શાહે અહીંના લોકોને વચન આપ્યું હતું કે જો તેમની સરકાર આવશે તો લેન્ડ અને લવ જેહાદ અંગે કાયદો લાવશે. શાહનું નિવેદન ૨૦૧૧ની વસ્તી ગણતરી સાથે જોડવામાં આવી રહ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આસામમાં મુસ્લિમ વસ્તી 30 ટકા છે. આ ઉપરાંત કોંગ્રેસ સાથે જોડાણમાં રહેલા બદરૂદ્દીન અજમલની પાર્ટી પર પણ શાહે પ્રહાર કર્યા હતા.
શાહના આ નિવેદનની પૃષ્ઠભૂમિમાં બદરૂદ્દીન અજમલ હતા, જેના પર ભાજપે આકરા પ્રહારો કર્યા હતા. શાહે આસામની રેલીમાં એમ પણ કહ્યું હતું કે તેઓ એઆઈયુડીએફના વડા બદરૂદ્દીન અજમલને આસામની ઓળખ નહીં બનવા દે. ભાજપનો આરોપ છે કે જો બદરૂદ્દીન અજમલની સરકાર આવશે તો આસામમાં ઘૂસણખોરી અને લવ જેહાદ જેવી ઘટનાઓ વધશે. ભાજપના ઘણા નેતાઓ એવો દાવો કરી રહ્યા છે કે આસામમાં કોંગ્રેસની સરકાર દરમિયાન મુસ્લિમ વસ્તી ઝડપથી વધી છે અને તેના કારણે અહીં લવ જેહાદ અને ઘૂસણખોરી જેવા ગુનાઓને રાજકીય સંરક્ષણ પણ મળ્યું છે.
2011 માં 5 થી 30 ટકા થઇ ગઇ મુસ્લિમ વસતી?
કેટલાક અહેવાલો ટાંકીને ભાજપના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે 2001માં આસામમાં મુસ્લિમોની જે વસ્તી 5 ટકા હતી, તે 2011ની જનસંખ્યા પ્રમાણે વધીને 25 ટકા થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, આવનારા સમયમાં ઘૂસણખોરીના પ્રભાવને કારણે, આસામ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતું રાજ્ય બની જશે, જ્યાં બહારના તત્વોની મોટી દખલ પણ હશે. આસામમાં ઘૂસણખોરીનો મુદ્દો ચૂંટણી સભાઓનો મોટો વિષય રહ્યો છે અને ભાજપ લાંબા સમયથી કહેતું આવ્યું છે કે તેની સરકાર આવ્યા પછી ઘુસણખોરોને આસામમાંથી હાંકી કાઢવામાં આવશે.
આસામમાં મુસ્લિમોની વધતી વસતીના કારણે રાજ્યના 11 જિલ્લા એવા છે જ્યાં મુસ્લિમોની સંખ્યા હિંદુઓ કરતાં વધુ છે. દાવા કરવામાં આવી રહ્યા છે કે જ્યાં હિંદુઓની જનસંખ્યા 2-3 ટકા છે, ત્યાં મુસ્લિમ 20-25 ટકાના દરે વધી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસની સરકારોમાં આ બધાને સંરક્ષણ આપીને અધિકાર આપવામાં આવ્યા છે.