પટનાના લોકનાયક જયપ્રકાશ નારાયણ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાના સમાચારથી મુસાફરો સ્તબ્ધ થઈ ગયા હતા. ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6 e 2126માં બોમ્બ હોવાની જાણ થતાં તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા. તમામ ચીજવસ્તુઓની શોધખોળ કર્યા બાદ કંઈ મળ્યું ન હતું. આખી ફ્લાઈટની શોધખોળ પૂરી થઈ ગઈ હતી, પરંતુ બોમ્બ કે વિસ્ફોટક કંઈ મળ્યું નથી.
સીઆઈએસએફના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવા અંગે રાત્રે 9:00 કલાકે કોલ આવ્યો હતો. કૉલરનો હેતુ ફ્લાઇટમાં વિલંબ કરવાનો અથવા મજાક કરવા માટેનો હોઈ શકે છે. જયારે સુરક્ષા માટે એરક્રાફ્ટની ફરીથી તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન તમામ મુસાફરો ગભરાયેલા દેખાયા હતા. એરપોર્ટ પોલીસ સ્ટેશનની પોલીસ પણ આ મામલાની તપાસમાં લાગેલી છે. હાલ એરપોર્ટ પ્રશાસનના અધિકારીઓ કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે. જયારે ઇન્ડિગોના સ્ટેશન હેડે વારંવાર ફોન કરવા છતાં જવાબ આપ્યો ન હતો.
Bihar | Visuals from Patna airport where the Bomb squad & Police personnel are conducting inspection after a man in a Delhi-bound flight reportedly claimed that he had a bomb in his bag. His bag was checked further & no bomb was found pic.twitter.com/BkNxpjZ2QC
— ANI (@ANI) July 21, 2022
પટના ડીએમ ચંદ્રશેખરે મીડિયાને જણાવ્યું હતું કે પટનાથી દિલ્હી આવી રહેલા પ્લેનમાં સવાર મુસાફરોએ કહ્યું- મારી બેગમાં બોમ્બ છે, માટે તમામ મુસાફરોને ઉતાવળમાં આવ્યા પરંતુ તપાસ કરતાં બેગ ખાલી મળી હતી. આ પછી, એરપોર્ટની સુરક્ષામાં તૈનાત CISF અધિકારીઓ એક્શનમાં આવ્યા અને માહિતી આપનાર વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે.