રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું હતું. જેમાં રણબીર કપૂર સાથે વાણી કપૂર જોવા મળશે. સાથે જ આ ફિલ્મમાં સંજય દત્ત પોલીસનો નેગેટિવ રોલ કરતો જોવા મળશે. પરંતુ આ ફિલ્મ સાથે જોડાયેલી બીજી માહિતી સામે આવી રહી છે, આ ફિલ્મ એકસાથે 4350 સ્ક્રીન્સ પર રિલીઝ થવા જઈ રહી છે.
નોંધનીય છે કે કોવિડ મહામારી પછી આ રીતે પહેલીવાર થઈ રહ્યું છે કે કોઇ ફિલ્મ આટલા સ્ક્રીન્સ પર રિલીઝ થશે. રણબીર કપૂર લગભગ ચાર વર્ષ પછી ફિલ્મોમાં વાપસી કરી રહ્યો છે. રણબીર કપૂરની સાથે સાથે ફિલ્મના મેકર્સ અને તેના ફેન્સને પણ આ ફિલ્મથી ઘણી આશાઓ છે. આ ફિલ્મના પ્રમોશન માટે રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત સતત કામ કરી રહ્યા છે.
નોંધનીય છે કે ફિલ્મને કરણ મલ્હોત્રાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મના નિર્માતાઓએ નિર્ણય કર્યો છે કે આ ફિલ્મ સમગ્ર દેશના લોકો સુધી પહોંચવી જોઈએ. માટે જ તેમણે ફિલ્મ ઘણી બધી સ્ક્રીન પર રિલીઝ થઈ રહી છે.
ટ્રેડ એનાલિસ્ટ પોતાના ટ્વિટર હેન્ડલ પર ‘શમશેરા’ની સ્ક્રીન કાઉન્ટ વિશે માહિતી શેર કરી છે. તેણે લખ્યું છે કે, ‘શમશેરા’ દેશભરમાં સમ્રાટ પૃથ્વીરાજ, જયેશભાઈ જોરદાર, સૂર્યવંશી અને ભૂલ ભુલૈયા 2 જેવી ફિલ્મો કરતાં વધુ સ્ક્રીન પર રિલીઝ થશે.