નાણાંમંત્રી દ્રારા આજે સંસદમાં રજુ કરવામા આવેલ આર્થિક સમીક્ષામાં, સરકારે 2019-20ના વર્તમાન નાણાકીય વર્ષમાં માટે આર્થિક વૃદ્ધિ દર 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. 2018-19નાં નાણાકીય વર્ષમાં GDP પાછલા પાંચ વર્ષમાં સૌથી નીચો 6.8 ટકા નોંધવામા આવ્યો હતો. જ્યારે ભારતનાં PM મોદીનો ગોલ દેશને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનો છે, ત્યારે આ ટાર્ગેટને પહોચવા ભારતે 2025 સુધી 8 ટકા જીડીપી વૃદ્ધિદર જાળવી રાખવો પડશે.
ભારત 5,000 અબજ ડોલરનું અર્થતંત્ર બની શકે છે……
2024-25માં 5,000 અબજ ડોલરનાં અર્થતંત્ર બનવા માટે જીડીપી સતત 8 ટકા જાળવી રાખવો જરૂરી છે.આર્થિક સર્વેક્ષણમાં PM મોદી દ્રારા આવનાર વર્ષોમાં દેશનાં અર્થિતંત્રને 5000 કરોડનું કદ આપવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે. ત્યારે વૃધ્ધિદરની 8 ટકા પર જાણવણી ખુબ જરૂરી છે.