Not Set/ બોલીવૂડ દિગ્ગજ એક્ટ્રેસ મીનુ મુમતાઝનું નિધન, મનોરંજન જગત છવાયો શોક

મીનુ મુમતાઝ કોમેડિયન મહેમુદ અલીના બહેન હતા. 50 અને 60ના દાયકામાં મુમતાઝે બલરાજ સાહની, ગુરૂદત્ત જેવા દિગ્ગજ અભિનેતાઓ સામે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું.

Top Stories Entertainment
મીનુ મુમતાઝ

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રી મીનુ મુમતાઝનું 79 વર્ષની વયે કેનેડામાં અવસાન થયું હતું. તેના ભાઈ અનવર અલીએ આ અંગે માહિતી આપી હતી. મીનુ મુમતાઝ કોમેડિયન મહેમુદ અલીના બહેન હતા. 50 અને 60ના દાયકામાં મુમતાઝે બલરાજ સાહની, ગુરૂદત્ત જેવા દિગ્ગજ અભિનેતાઓ સામે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું.

આ પણ વાંચો :ટીના દત્તાએ ટોપ પહેર્યા વગર ખુલ્લા જેકેટમાં કરાવ્યું ફોટોશૂટ, સોશિયલ મીડીયામાં લગાવી આગ

મીનુ મુમતાઝ બોલિવૂડના પીઢ અભિનેતા અને કોમેડિયન મેહમૂદની બહેન હતા. મીનુનો જન્મ 26 એપ્રિલ 1942 ના રોજ થયો હતો. તેમણે બાળપણથી જ ડાન્સ ટ્રેનિંગ લીધી હતી. મેહમુદનો આખો પરિવાર ફિલ્મો સાથે સંકળાયેલો હતો, તેથી મીનુ ફિલ્મોમાં પણ જોવા મળ્યા. તેમને દેવિકા રાનીએ ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો. દેવિકા રાનીએ બોમ્બે ટોકીઝમાં મીનુને ડાન્સર તરીકે રાખ્યા હતા. મીનુએ ફિલ્મ ‘ઘર ઘર મેં દિવાળી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ વર્ષ 1955માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેણીએ ગામમાં રહેતા નૃત્યાંગનાની ભૂમિકા ભજવી હતી. જોકે મીનુને આ ફિલ્મથી વધારે સફળતા મળી નથી.

a 385 બોલીવૂડ દિગ્ગજ એક્ટ્રેસ મીનુ મુમતાઝનું નિધન, મનોરંજન જગત છવાયો શોક

તેમને વાસ્તવિક ઓળખ ફિલ્મ ‘સખી હાતિમ’ થી મળી. આમાં, તેણીએ એક જલપરીની ભૂમિકા ભજવી હતી. 1958 માં આવેલી ફિલ્મ ‘હાવડા બ્રિજ’માં તેણીએ તેમના વાસ્તવિક ભાઈ મેહમુદ સાથે પડદા પર રોમાંસ કર્યો હતો. સ્ક્રીન પર ભાઈ-બહેનનો રોમાન્સ જોઈને દર્શકો ખૂબ જ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની ખૂબ ટીકા પણ થઈ હતી.

a 386 બોલીવૂડ દિગ્ગજ એક્ટ્રેસ મીનુ મુમતાઝનું નિધન, મનોરંજન જગત છવાયો શોક

આ પણ વાંચો : જ્યારે શાહરૂખ ખાને કહ્યું હતું કે, મારુ નામ અને પ્રસિદ્ધિ મારા બાળકોની જિંદગી કરી શકે ….

મીનુની જોડી સૌથી લોકપ્રિય કોમેડિયન જોની વોકર સાથે હતી. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. મીનુએ પડદા પર કોમેડી કરી અને સાઈડ રોલ સાથે ઘણી હેડલાઈન્સ પણ બનાવી. તેણીએ વર્ષ 1963 માં નિર્દેશક સૈયદ અલી અકબર સાથે લગ્ન કર્યા. જ્યારે મીનુ મુમતાઝની તબિયત બગડી ત્યારે ડોક્ટરોએ કહ્યું કે તેણીને ગાંઠ છે પરંતુ જ્યારે તેનું ઓપરેશન થયું ત્યારે તે સાજા થઈ ગયા. આ પછી તે કેનેડામાં રહેવા લાગ્યા પરંતુ શનિવારે સવારે તેમણે આ દુનિયાને કાયમ માટે છોડી દીધી.

આ પણ વાંચો :NCB મને ફસાવવા માટે વોટ્સએપ ચેટને ખોટી રીતે રજૂ કરે છે,હાઇકોર્ટમાં આર્યન ખાન

આ પણ વાંચો :બંટી ઓર બબલી 2નું ટીઝર રિલીઝ, 12 વર્ષ બાદ ફરી સાથે જોવા મળશે રાની મુખર્જી-સૈફ અલી ખાન

આ પણ વાંચો :આર્યન ખાન કેસ વચ્ચે સોશિયલ મીડિયા પર છવાઈ સુહાના ખાનની હમશકલ, ચાહકો થયા હેરાન….