દુર્ઘટના/ દિલ્હીના સત્યનિકેતનમાં નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી, 5 મજૂરો ફસાયા હોવાની આશંકા

દક્ષિણ દિલ્હીના સત્યનિકેતનમાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ છે. સમાચાર અનુસાર, બિલ્ડિંગમાં પાંચ મજૂરો ફસાયા હોવાની આશંકા છે.

Top Stories India
બિલ્ડીંગ ધરાશાયી

રાજધાની દિલ્હીમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. દક્ષિણ દિલ્હીના સત્યનિકેતનમાં એક નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી થઈ છે. સમાચાર અનુસાર, બિલ્ડિંગમાં પાંચ મજૂરો ફસાયા હોવાની આશંકા છે. ત્રણ માળની ઈમારત ધરાશાયી થયા બાદ બચાવ અને રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. છ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે છે.

આ બિલ્ડીંગ છેલ્લા કેટલાક મહિનાઓથી બનાવવામાં આવી રહી હતી અને તેને પીજી તરીકે તૈયાર કરવામાં આવી રહી હતી. NDRF અને સ્થાનિક પ્રશાસનને ઘટનાસ્થળે બોલાવવામાં આવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે દિલ્હી પોલીસને ફોન કર્યા બાદ ટીમ મોડી પહોંચી હતી, જ્યારે પોલીસનું કહેવું છે કે કોલ મળતા જ તે ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો:હિંદુ સંગઠનોની અપીલ – મુસ્લિમો પાસેથી ન ખરીદો સોનું, નહીં તો…

ગુજરતનું ગૌરવ