Not Set/ CBSEનાં વિદ્યાર્થીઓ માટે સામે આવ્યા રાહતનાં સમાચાર, જાણો કેવી થશે અસરો

CBSE દ્વારા કોરોનાનાં કપરા કાળ અને કોરોનાનાં કારણે વિદ્યાર્થીઓના શિક્ષણમાં આવી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જી હા, CBSE દ્વારા ધોરણ 9 થી 12 નો પાઠ્યક્રમમાં ઘટાડવા કરવામાં આવ્યો છે.  કોરોનાને લઈને વિદ્યાર્થીઓનો ભાર ઘટાડવા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે, ત્યારે બોર્ડના આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓને […]

Uncategorized

CBSE દ્વારા કોરોનાનાં કપરા કાળ અને કોરોનાનાં કારણે વિદ્યાર્થીઓના શિક્ષણમાં આવી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જી હા, CBSE દ્વારા ધોરણ 9 થી 12 નો પાઠ્યક્રમમાં ઘટાડવા કરવામાં આવ્યો છે. 

કોરોનાને લઈને વિદ્યાર્થીઓનો ભાર ઘટાડવા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે, ત્યારે બોર્ડના આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓને રાહત મળશે અને તેમને કોરોના કાળમાં જે ભણતર સંબધીત નુકશાન થયુ છે તે રિકવર કરવામાં પણ આસાની રહેશે.

જો કે, બોર્ડ દ્વારા આ નિર્ણય લેતાં પહેલા હજારો શિક્ષણવિદની સલાહ પણ લેવાઈ હોવાની વિગતો વિદિત છે. આ મહત્વપૂર્ણ નિર્ણય વિશે CBSE બોર્ડ દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી છે.