જમ્મુ કાશ્મીરનાં બાંદીપોરામાં આતંકવાદીઓએ ભાજપ નેતા શેખ વસીમ, તેમના પિતા અને ભાઈને ગોળી મારીને હત્યા કરી હતી. જમ્મુ કાશ્મીર પોલીસે ટ્વિટ કર્યું છે કે, ‘આતંકવાદીઓએ બાંદીપોરામાં ભાજપ કાર્યકર વસીમ બારી પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગ દરમિયાન વસીમ બારી, તેમના પિતા બશીર અહમદ અને તેમનો ભાઈ ઉમર બશીર ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ ત્રણેયનું મોત નીપજ્યું હતું.
#Terrorists fired upon BJP worker Wasim Bari at #Bandipora. During indiscrimnate firing Wasim Bari, his father Bashir Ahmad and his brother Umer Bashir got injured and shifted to hospital but unfortunately all the three #succumbed to their injuries. @JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) July 8, 2020