વરસાદની સિઝનની શરૂઆતથી ગરમીથી રાહત મળી છે. દેશના વિવિધ ભાગોમાં આ સમયે ક્યાં ધીમીધારે તો ક્યાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. વરસાદની મોસમ જેટલી ખુશખુશાલ હોય છે તેટલું જ સંક્રમિત રોગોનું કારણ બને છે. આવી સ્થિતિમાં જો તમે કોઈ કારણસર વરસાદથી ભીંજાયા છો, તો તમારે વધારે સાવચેતી રાખવી જોઈએ. આજે અમે તમને કેટલીક ટીપ્સ જણાવીશું, જે વરસાદમાં ભીના થયા પછી અપનાવશો તો તમે રોગોથી પોતાને બચાવી શકો છો…..
જો તમે કોઈ કારણસર વરસાદથી ભીંજાઈ ગયા છો, તો ઘરે આવતાની સાથે જ પહેલા તમે કપડાં બદલી લો. કારણ કે ભીના કપડાંમાં તમને ઠંડી લાગી શકે છે. આને કારણે, ઘણા લોકોમાં શરદી અને એલર્જી જેવી સમસ્યાઓ જોવા મળે છે. કપડાં બદલવાથી ઠંડી લાગવાની સંભાવના ઓછી થશે.
જો તમે વરસાદમાં વધુ ભીંજાઈ ગયા છો, તો તમારે નવશેકું પાણીથી સ્નાન કરવું જોઈએ. આ પછી, તમારા આખા શરીર ખાસ કરીને વાળને યોગ્ય રીતે સુકાવો જેથી બીમાર ન પડી શકો. વરસાદમાં વાળ ભીંજવાને કારણે માથામાં સંક્રમણનું જોખમ વધે છે. જો તમે તમારા વાળ ધોઈ લો અને તેને સારી રીતે સુકાશો તો સંક્રમણ થવાની સંભાવના ઓછી થશે.
વરસાદની સિઝન ઠંડી હોય છે. દરેક જગ્યાએ પાણીને લીધે, આ મોસમમાં વાયરલ અને બેક્ટેરિયાના સંક્રમણનું જોખમ વધે છે. આ સિઝનમાં તમારે તમારા ભોજનની વિશેષ કાળજી લેવી જોઈએ.
વરસાદમાં લોકો ઘરે હોય કે બહાર ચા અને પકોડાની તલપ લાગે છે. તે જ સમયે કેટલાક લોકો ફાસ્ટ ફૂડ ખાવાનું પસંદ કરે છે, જ્યારે આ સીઝનમાં બહારની વસ્તુઓનું સેવન કરવાથી તમારું પેટ અસ્વસ્થ થઈ શકે છે. જો તમે ભીના છો તો આવા ખોરાકનું સેવન કરવાનું ટાળો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.