જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારે સવારેથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ અનંતનાગ જિલ્લાના શ્રીગુફવારા વિસ્તારમાં ઘેરાબંધીની શરૂઆતમાં જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શ્રીગુફ્વારા વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ સવારે 6:40 વાગ્યે સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. દળોએ તેનો યોગ્ય જવાબ આપ્યો. પોલીસ અધિકારીએ કહ્યું કે આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.
#UPDATE One unidentified terrorist killed in ongoing encounter at Srigufwara area of Anantnag: Kashmir Zone Police https://t.co/TNHQxX8xiW
— ANI (@ANI) July 13, 2020