વિકાસ દુબે એન્કાઉન્ટર કેસની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી, આ દરમિયાન સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ (સેવાનિવૃત્ત) બી.એસ.ચૌહાણને તપાસ સમિતિનો ભાગ બનવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ સંમત થયા છે. તેમના નામને સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપી હતી. આ સાથે પૂર્વ પોલીસ મહાનિર્દેશક કેએલ ગુપ્તાને પણ તપાસ ટીમનો ભાગ બનાવવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે યુપી સરકારને એક સપ્તાહમાં તપાસ પંચની રચના કરવા કહ્યું છે, જે એક અઠવાડિયામાં તપાસ શરૂ કરી શકે છે. કોર્ટે કહ્યું કે સેક્રેટરી પદના અધિકારીને યુપી દ્વારા નહીં પણ કેન્દ્ર સરકાર પૂરી પાડશે. કોર્ટે કહ્યું કે આયોગ બે મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરશે અને દરેક પાસાની ગંભીરતાપૂર્વક તપાસ કરશે.
આપને જણાવી દઈએ કે, અગાઉની સુનાવણી દરમિયાન સરકાર વતી એડવોકેટ તુષાર મહેતાએ કહ્યું હતું કે એન્કાઉન્ટર યોગ્ય હતું. જો કે, કોર્ટ વતી કહેવામાં આવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે રાજ્ય સરકાર જવાબદાર છે અને આ માટે ટ્રાયલ થવું જોઇએ. તેમજ કોર્ટે કહ્યું હતું કે તપાસ સમિતિમાં એક પૂર્વ ન્યાયાધીશ અને એક પોલીસ અધિકારી અમારી સાથે રહેશે. ઉત્તર પ્રદેશ સરકારે તપાસ સમિતિનું પુનર્ગઠન કરવાની તૈયારી દર્શાવી હતી.
નોંધપાત્ર વાત એ છે કે, 10 જુલાઈએ 8 પોલીસકર્મીની હત્યાના મુખ્ય આરોપી વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. દુબેના એન્કાઉન્ટરએ ઘણા સવાલો ઉભા કર્યા હતા. આ દરમિયાન સીબીઆઈ અને એનઆઈએ દ્વારા પોલીસ એન્કાઉન્ટરની તપાસ કરાવવા માટે બે વકીલોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. દરમિયાન, સુપ્રીમ કોર્ટના જવાબમાં ઉત્તર પ્રદેશ પોલીસે એક સોગંદનામું રજૂ કર્યું જેમાં જણાવ્યું હતું કે વિકાસ દુબેની એન્કાઉન્ટર ફર્જી નહતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.