Not Set/ સુશાંત સિંહ સુસાઇડ કેસ/ પોલીસે કરી આદિત્ય ચોપડાની પૂછપરછ, 4 કલાક ચાલ્યો સવાલ જવાબનો સિલસિલો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આપઘાત કેસમાં મુંબઈ પોલીસની કાર્યવાહીએ જોર પકડ્યું છે. ટૂંક સમયમાં પોલીસે ઘણા મોટા લોકોની પૂછપરછ કરીને આ મામલો ઝડપથી હલ કરવાનો પ્રયાસ કર્યો છે. હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે YRF ના હેડ આદિત્ય ચોપરાની પૂછપરછ કરવામાં આવી છે. પોલીસે આદિત્ય ચોપરાની કરી પૂછપરછ મળતી […]

Uncategorized Entertainment
cff233ea2d516e036d514029f5bba830 સુશાંત સિંહ સુસાઇડ કેસ/ પોલીસે કરી આદિત્ય ચોપડાની પૂછપરછ, 4 કલાક ચાલ્યો સવાલ જવાબનો સિલસિલો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આપઘાત કેસમાં મુંબઈ પોલીસની કાર્યવાહીએ જોર પકડ્યું છે. ટૂંક સમયમાં પોલીસે ઘણા મોટા લોકોની પૂછપરછ કરીને આ મામલો ઝડપથી હલ કરવાનો પ્રયાસ કર્યો છે. હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે YRF ના હેડ આદિત્ય ચોપરાની પૂછપરછ કરવામાં આવી છે.

પોલીસે આદિત્ય ચોપરાની કરી પૂછપરછ

મળતી માહિતી મુજબ શનિવારે સવારે મુંબઈ પોલીસે વર્સોવા સ્ટેશન પર આદિત્ય ચોપરાનું નિવેદન નોંધ્યું હતું. પોલીસે આદિત્યને પુરા ચાર કલાક પૂછપરછ કરી છે. પોલીસે કયા સવાલો પૂછ્યા છે, આદિત્યએ શું કહ્યું છે તે અંગે હવે કોઈ ઔપચારિક નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ તે કોઈથી છુપાયેલ નથી કે સુશાંતમાં યશ રાજ ફિલ્મ્સનો એંગલ ખૂબ મહત્વનો છે. પોલીસે અનેક વખત સમજવાનો પ્રયત્ન કર્યો છે કે સુશાંતને YRF સાથે શું કરાર થયો હતો. હવે આ સમજવા માટે આદિત્ય ચોપરાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

જોકે, થોડા સમય પહેલા રિયા ચક્રવર્તીએ કહ્યું હતું કે સુશાંતે પોતે જ YRF સાથેનો કરાર પૂરો કર્યો હતો, સાથે જ તેણે રિયાને પણ આવું કરવા કહ્યું હતું. પોલીસે રિયાનું તે નિવેદન પણ નોંધ્યું હતું. આવી સ્થિતિમાં પોલીસે આ મામલે આદિત્યની પૂછપરછ કેમ કરી છે તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.