દેશની રાજધાની દિલ્હીનાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યું હતું કે, 529 મીડિયા કર્મીઓમાંથી માત્ર 3 જ કોરોના વાયરસથી સંક્રમિત છે. તાજેતરમાં આ બધાની કોવિડ-19 તપાસ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, જેમને ચેપ લાગ્યો છે તે જલ્દીથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરશે. કેજરીવાલે કહ્યું કે, રોગચાળા દરમિયાન માધ્યમોનું કાર્ય અત્યંત મહત્વનું છે.
મુખ્ય પ્રધાન કેજરીવાલે ટિ્વટ કર્યું હતું કે, ‘હું તમને જણાવવામાં ખુશી વ્યક્ત કરુ છું કે, 529 માંથી માત્ર 3 મીડિયાકર્મી કોરોના વાયરસ પોઝિટીવ જણાયા છે. તમારું કામ ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને રોગચાળા દરમિયાન. જેઓ પોઝિટીવ મળી આવ્યા છે, હું તમારી ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.‘ આપને જણાવી દઈએ કે ગત સપ્તાહે, દિલ્હી વહીવટીતંત્રએ મીડિયા વ્યક્તિઓની કોરોના વાયરસ સ્ક્રિનિંગ શરૂ કરી હતી.
મુંબઈમાં 53 મીડિયાવાળાઓ કોરોના વાયરસથી ચેપ લાગ્યાં બાદ સીએમ કેજરીવાલે દિલ્હીમાં તપાસ માટે કહ્યું હતું. મીડિયામાં વ્યકિતઓને દિલ્હીમાં તપાસ કરવા વિનંતી કરતા એક ટ્વીટનાં જવાબમાં તેમણે કહ્યું કે, અમે તે ચોક્કસપણે કરીશું. આ પછી, દિલ્હી સરકારે કહ્યું કે, કોવિડ-19 કેન્દ્રો મીડિયાકર્મીઓની તપાસ માટે બનાવવામાં આવ્યા છે. આ પછી, કર્ણાટક સરકારે પણ આ પ્રકારનો આદેશ જારી કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.